________________
w
બ
આવતી કાલના નારિકાને
ઘુ
વડ જેમ સૂર્યના પ્રકાશ ઝીલી શકતુ નથી તેમ આપણી ક્ષુદ્રતા અને સંકુચિતતા પણ મહાપુરુષોના વિશાળ અને ઉદાર વિચારોને ઝીલવા અસમર્થ છે. દુનિયામાં ઠેરઠેર આવુ જ બન્યું છે. જ્યારે જ્યારે કોઇ નવા ક્રાંતિકારી પુરુષ જગતને આંગણે આવ્યો છે ત્યારે ત્યારે એક યા બીજી રીતે પ્રજાએ એને વીંધ્યો છે : ભલે પાછળથી એને પૂજ્યા હોય.
જગતના ઇતિહાસનાં પાનાં ઉથલાવશે। તો જણાશે કે સોક્રેટિસને ઍથેન્સમાં ઝેરના પ્યાલા મળ્યા; ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા છે; મીરાંને ઝેર અપાયું છે; લિંકનનું પણ બલિદાન લેવાયું છે. અને એવી જ રીતે છેલ્લે છેલ્લે મહાત્માજીને માટે પણ એવી જ બીના બની છે.
આ ઉપરથી એક વિચાર તો એવા પણ આવે છે કે, જગત આજે એ વીરોને એટલા માટે જ પૂજે છે કે, તે આજે આપણી સામે નથી. આજે પણ જો આપણી સામે આવે તો, આજે પણ કદાચ એમને ગાળી ઝીલવાના જ વારો આવે. જોન આફ આર્કનું નાટક લખતી વખતે બર્નાર્ડ શેએ પણ આવી જ વાત કરી છે. તે લખે છે કે, જે પ્રજા જાન આફ આર્કને પૂજી રહી છે, તે જ પ્રજાની સામે ફરીથી જો જાન આફ આર્ક આવે તે, ફરીથી પણ પૂજા કરનારી પ્રજા એને બાળી મૂકે તે આશ્ચર્ય નહીં ગણાય !
ઉપરની વાત ઉપરથી એમ લાગે છે કે, જ્યારે આપણી સામે ઝગમગતા તેજને સૂર્ય આવે છે ત્યારે એનાં તેજ ઝીલવા માટે આપણે અસમ નીવડીએ છીએ. ત્યારે એ આંજી દેતા તેજના પુંજને હટાવવા માટે આપણે એક યા બીજો માર્ગ લઇએ છીએ. આજ સુધી બધે, બસ, આવું જ બન્યુ છે. આ અનિષ્ટનુ પુનરાવર્તન થતું અટકાવવા માટે આપણે સૌ