________________
અપમાન કર્યું` ! બદમાશે શેઠની પાઘડી ધૂળભેગી કરી !’
મકાનમાં પેસતાં જ સામે રામેા મળ્યો, અરે રામા ! પેલા નાલાયક રિસકે શેઠને તમાચા માર્યો. શેઠની પાઘડી ધૂળભેગી કરી, શેઠની ઇજજત લીધી.’ રામાના ખભાને ઢંઢોળતાં હરિલાલે કહ્યું.
આ જ વાતનું પારાયણ એ બધેય કરવા લાગ્યો. ‘રિસકે તમાચા મારી શેઠની ઇજ્જત લીધી.’
:
સૌની આગળ આ પ્રસંગને રસપૂર્વક વર્ણવતા હરિલાલ પોતાના મનમાં પેાતાની વફાદારી પર અને પેાતાની આવડત પર મલકાતા હતા. પણ વિવેકહીન વાચાથી કેટલું નુકસાન થાય છે, એ એને સમજાતું નહોતું.
અવિવેકીની વિશેષતા જ એ કે, એ પેાતાના અજ્ઞાન ઉપર પણું જ્ઞાન ની છાપ મારી, એનું પ્રદર્શીન ભરે.
રમણલાલે હરિલાલને ખૂણામાં લઈ જઇ કહ્યું: ‘અરે મૂર્ખ ! ઇજ્જત તે તેં લીધી. ગલીમાં તમાચા માર્યા, એ તો હું અને એ બે જ જાણીએ. પણ ગમાર ! તે તા ગુપ્ત વાત સૌને જણાવી; એટલે.ઇજ્જત એનાથી નથી ગઇ, પણ તારાથી ગઈ. વિવેકવિહોણા તારા જેવા મૂર્ખ ભલાઈને નામે બૂરાઇ કરે, સારાના નામે ખરાબ કરે, ધાળાને નામે કાળું કરે !'