________________
પાસ દિવ્ય આભામંડલની જેમ એમની પ્રતિભા પ્રસારી રહ્યું હતું.
આ સમાચાર મહાયોગી શ્રી આનન્દઘનજીને મળતાં એમનાં નયનામાં આનંદ ને વેદનાનાં આંસુ ઊભરાયાં. અરે ! જ્ઞાનના ગર્વ સાધુને ન શેશભે ! નમ્રતા એની જીવનસંગિની હોય !
એક નમતી- સાંજે એ ઉપાધ્યાયજીને મળ્યા, અને જ્ઞાનગોષ્ઠિ કર્યા પછી, ઠાવકું માં રાખીને સ્મિતપૂર્વક યોગીરાજે પૂછ્યું : ‘ઉપાધ્યાયજી,! કેવળજ્ઞાનીઓનું અને ચૌદ પૂર્વધરનું જ્ઞાન આપણાં કરતાં વધારે કે એછુ ?”
સાશ્ચ ઉપાધ્યાયજીએ કહ્યું : ‘ શું બાલા છેા યોગીરાજ ! એ તે જ્ઞાનના સિન્ધુ કહેવાય. આપણું જ્ઞાન તે એની પાસે બિન્દુ ગણાય !”
યોગીરાજે મધુર સ્મિત કર્યું: ‘હા, તે એમની આગળ વિજયધ્વજની લાખલાખ હારમાળા ચાલતી હશે, ખરું ને ?'
આ સાંભળી પૂજ્યશ્રી ઉપાધ્યાયજીના આત્મા નમી રહ્યો, અને ગનાં પાણી નેત્રોદ્ગારા ઝરી ગયાં.
ત્યાં દિવ્ય ધ્વનિ થયો : ‘સા વિદ્યા ચા વિમુયે’—વિદ્યા તે કે જે વાસનામાંથી મુકિત અપાવે, ગર્વ માંથી નમ્ર બનાવે. જાગૃતિના જય હે !
વસ
સન્તના વાયરા કાણા છે. કોયલ આંબાવાડિયાને ગજવી રહી છે. એક સંત આસપાસના વૃક્ષ નીચે ચિન્તનમાં ડૂબેલા છે. એમના જ્ઞાનની કીર્તિ ચારે દિશામાં પ્રસરેલી છે.
એમના દર્શને તે દેશના મહાન વિજયી મહારાજા આવ્યા. એમનુ રાજ્ય વિશાળ છે. વૈભવ અપાર છે. એમના નામથી શત્રુએ કંપી ઊઠે છે ! એમણે આવી સંતને નમન કર્યું, પણ એમના નમનમાંય ગર્વનો પડછાયો તો હતા જ ! સંત એમના મનની વાત પામી ગયા. આશીર્વાદ આપી કહ્યું :
‘ રાજન ! એક વાત પૂછું ? તમે આટલું વિશાળ ને સમૃદ્ધ રાજ્ય તો મેળવ્યુ', પણ કો’ક વાર કોઇ નિર્જન રણમાં તમારા પ્રાણ તરસને લીધે ઊડી જવાની તૈયારીમાં હોય, ત્યાં કોઈ પાણીના એક પવાલાના બદલામાં તમાસ રાજ્યના અર્ધા ભાગ માગે તે આપે! ખરા ??
રાજાએ નમ્રતાથી ઉત્તર વાળ્યો : ‘ હા, એવા સયોગોમાં અં રાજ્ય પણ આપુ !”