SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ * પંચામૃત પાંચસે વિજયધ્વજ ,રાણસીની વિદ્રસભા એ દિવસે છૂ જી ઊઠી. અનેક સભાને જીતી, એક દિગ્વિજયી કાર્તિક એ દિવસે વારણસીના વિદ્રાના સાથે જ્ઞાનચર્ચા કરવા આવવાના હતા. પાંચસે તે તેની આંગળવિજયધ્વજ હતા. એ આવ્યા. સભા ભરાઈ. ઘણા દિવસો સુધી શબ્દવેધી મેઘમાળાની ઝડી વરસી અને કાર્તિકની પૂર્ણિમાના દિવસે એણે સભાનેા જય કર્યો. વિદ્યુત્સભાના સઘળા પંડિતા શરમથી મસ્તક નમાવી રહ્યા. વિજયી પંડિતે સિંહગર્જના કરી : ‘ હજુ કોઇ છે બાકી ? હારું તો આ પાંચસો વિજયધ્વજો મૂકી એનાં ચરણામાં પડું. એક યુવાને આ ઘોષણા ઝીલી લીધી. સૌની દૃષ્ટિ એ તેજસ્વી મૂર્તિ ભણી ખેંચાઇ. તુષારધવલા માતા સરસ્વતી એના પર આશીર્વાદ વર્ષાવી રહ્યાં હોય એવાં તેજ એની મુદ્રા પરથી વેરાતાં હતાં. તે યુવાનના મુખમાંથી જ્ઞાનના તેજથી ઝળહળતી અકાટચ દલીલે પ્રગટવા લાગી. અગાધ તર્ક બળથી એણે એ દિગ્વિજયી વિદ્રાન પર વિજય મેક્લ્યા; અને ત્યારે જ સૌને ખબર પડી કે, આ તો ગુજરાતમાંથી અભ્યાસ કરવા આવેલ ઉપાધ્યાય શ્રી યશેવિજયજી છે. મહાસભાએ પ્રસન્ન થઇને એમને ન્યાયવિશારદનુ બિરુદ. આપ્યું. આ વિજય મેળવીને એ ગુર્જરભૂમિમાં પધાર્યા, પણ એમનું મસ્તક ગર્વથી ઉન્નત હતું. વિદ્યાના ગૌરવની સાથે વિદ્વત્તાના ગવ એમના એષ્ઠને ધનુષ્યની જેમ ખેંચાયેલા રાખતા હતા. પાંચસા પાંચસે વિજયધ્વજો એમની આગળ ચાલતા હતા, અને ‘વાહવાહ’ કરનારુ પંડિતમંડળ એમની આસ
SR No.005898
Book TitlePrakashni Kedi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherPunit Prakashan Mandir
Publication Year1966
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy