________________
છે, માળા ફેરવે છે; પરંતુ અંતરનો જે પલટો થવો જોઇએ, સ્વભાવનું જે પરિવર્તન આવવું જોઈએ તે નથી બનતું. 1. વ્યાખ્યાન તો બધાં સારાં સાંભળીને ઘેર જાય છે પરંતુ ત્યાં અણગમતી વાત સાંભળીને તમારા મનમાં રોષ આવે છે ખરો ?
વિશ્વામિત્ર વનમાં જઈને રહ્યા. તપ કર્યું, ત્યાગ કર્યો; પણ સમ્ય જ્ઞાન નહોતું એટલે મેનકાને પહેલો જ પ્રસંગ આવ્યો ત્યાં એ લપસી ગયા. એ જ કારણે મત્સ્યગંધાનો પ્રસંગે ઉપસ્થિત થયો અને નૌકામાં જ પરાશર ઋષિનું પતન થયું.
વિષયથી અલિપ્ત રહેવું હોય તો મનને જ્ઞાન આપો.
તમે દેવસ્થાનમાં જાઓ છોને? ત્યાં કેટલી મીઠાઈઓ પાથરેલી હોય છે! “ ફૂટ્સ’ (ફળ) ગોઠવેલાં હોય છે ? એ દિવસે તમારે ઉપવાસ હોય તો તમને એવું મન થાય ખરું કે લાવને એકાદ જલેબી મોઢામાં મૂકી દઉં ?
કેમ નથી થતું? મીઠાઇઓ તો ખૂબ છે. વિવિધતા પણ ઘણી છે. પણ આપણે મનને કેળવેલું હોય છે કે ભગવાનની આગળ જે અર્પણ કર્યું તે તો નિર્માલ્ય કહેવાય. એને લેવાય કેમ ? એને લેવાની કે ખાવાની ઇરછા કરે તે એ પણ પાપ છે!
બાલ્યકાળથી આ રાંકાર પડેલા જ છે કે ભગવાન આગળ મૂકાય ખરું, પણ લેવાય નહિ; છોડાય ખરું, પણ ખવાય નહિ.
એટલે જ્ઞાનીઓએ કહ્યું કે વિષયો તો જગતમાં ચારે બાજ છે, પણ તું સાવધાન રહે. વિષયો આ ઇન્દ્રિયોને પકડે. ઇન્દ્રિયો મનને પકડે. મન પાછું આત્માને પકડે. ત્યારે તું જાગૃત રહે.
આમ, આ ચારેયનું યુદ્ધ ચાલે છે. વિષયો જ્યાં ઇન્દ્રિયોને પકડે ત્યાં મન જો દોડી આવે ને સમજાવે કે તમે આ વિષયોથી ચેતતા રહેજો. વિષયોમાં લપેટાઈ જવું એ તમારા હિતમાં નથી; કારણ કે વિષયો તો વિનાશ અને વિનિપાત સર્જશે. આટલું સમજાશે તો વિષયથી દૂર રહેવાનું મન થશે.
દૂધપાકને સુંદર એવો કટોરો ભરેલ હોય, સરસ મજાનાં સુવાસિત દ્રવ્યો એમાં નાખેલાં હોય, પણ તેમાં એકાદ વિષબિન્દુ પડી જાય ને ખાનારને ખબર પડી જાય તો? કોઈ આવીને કહે કે, આ સુંદર મજાનો દૂધપાક છે! કેવી મીઠી સુવાસ આવે છે? લો, એક કપ ગટગટાવી જાવ. તો તમે (પીશે ખરા ? તમે તરત જ કહેશો, ‘રહેવા દે ભાઈ, મારે નથી પીવો.’