SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અમલમાં મૂકવા માટે. સૂર્યોદય પછી મધ્યાહન તરફ જતે સૂઈ ચેતરફ પ્રકાશ પાથરે છે અને માણસોને કાપમાં જોડે છે. તે રીતે શૈશવકાળમાં મેળવેલી વિદ્યાને જીવનમાં અમલી બનાવીને, એનો પ્રકાશ પાથરવાનો અવસર યૌવનકાળમાં આવે છે. વિષયો તમારી સામે આવે ત્યારે તમે આટલે વિચાર કરજો : “આ વિષયોને ઇન્દ્રિયોએ જોયા છે તો ભલે જોયા. પણ આપણે મનને સમજાવી રાખીશું, મનને જો કેળવી રાખીશું તો આખી દુનિયામાં વિષય ભલેને પડ્યા, આપણને શું થવાનું છે? તમારું મન જો કેળવાયેલું નહિ હોય તો, તમે મંદિરમાં બેઠા હશો તોપણ, પેલા વિધ્યોમાં ખેંચાઈ જશે. પરિણામ એ આવી જશે કે જ્યાં જ્યાં વિષયો હશે ત્યાં ત્યાં તમારું મન ભટકતું જ હશે. આજે આપણી દશા એવી છે કે આપણે મનને નથી કેળવ્યું, એટલે, પવિત્ર સ્થાનોમાં પણ આપણે “સીધા રહેતા નથી. મનની કેળવણી આજે તૂટી ગઈ છે. પરિણામે, માણસોનાં મન આજે પારા જેવાં ચલિત, ચપળ, ક્ષણિક છે કે હાથમાં જ ન રહે. એટલે જ મનને કેળવણીની જરૂર છે. અને એ માટે જ પુરુષાર્થ કરવાનું છે. ઉપવાસ કરનારી બહેનોએ મનને કેવું મેળવ્યું હોય છે, તેને કદી વિચાર કર્યો છે? એ ઉપવાસ કરનારી બહેનો ઘરનાં માણસોને દૂધપાક કે બાસુંદી કરીને જમાડે, જાતજાતની વાનગીઓ બનાવીને પીરસે, બધુંય કરે; પણ તે છતાં એના મોઢામાંથી પાણી ન છૂટે. એને તમે કહો કે જમી લો, તો કહેશે “ના, આજે તો મારે ઉપવાસ છે.” - આ છે મનની કેળવણી. બધીય વાનગી જાતે બનાવી છે. એ રસભરપર વાનગીઓ જાતે પીરસે છે, છતાં ચાખવાનું પણ મન થતું નથી. વિષયો છે, વાનગીઓ છે, બધુય છે; પણ પોતે તેને વ્રતપૂર્વક ત્યાગ કરે છે, કારણ એને ઉપવાસ છે. મન ઠેકાણે હોય તો વિયો વળગી શકતા નથી; નહિ તે વિષયો ગમે ત્યાંથી દોડી આવે છે અને ચઢી બેસે છે. વિષયો તો જગતમાં ચારે બાજુ પથરાયેલા પડ્યા છે. તમે ભાગીભાગીને ક્યાં જશો ? બચવાનો માર્ગ એક જ છે. વિષયોનું જ્ઞાન પણ સામાન્ય જ્ઞાન નહિ, પણ સમ્યફ જ્ઞાન હોવું જોઈએ. *
SR No.005898
Book TitlePrakashni Kedi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherPunit Prakashan Mandir
Publication Year1966
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy