________________
જેમ છોકરાંઓને આપણે રમાડતાં હોઇએ તેમ ઘરડાઓને પણ પાછા આપણે દોરીએ છીએ..
એ સમય પૂરો થયા પછી, દિવસ પછી રાત્રિ આવે છે તેમ, જીવન પછી મૃત્યુ આવે છે.
આ આખું જીવનચક્ર (Cycle of Life) છે. એને પદ્ધતિસર સમજવું એનું નામ જ તંત્ત્વજ્ઞાન.
જેને આ વાતની ગેડ બેસી જાય એણે અંદરથી વિચારી લેવું કે જીવન દિવસ જેવું છે. દિવસના પ્રભાતમાં, મધ્યાહ્નમાં કે સંધ્યામાં જે કામ કરવું હોય તે કરી લો. સંદયા નમી રહી છે અને એ પછી તો મહા કાળ
રાત્રિ આવે છે. '
બાલ્યકાળમાં, યૌવનમાં, સંધ્યામાં અને મૃત્યુઘડી પહેલાં શું કરવું છે એ ચાર વાતનો આપણે અહીં વિચાર કરીશું.
આપણા જીવનમાં, આ જે ચાર સુખદ અવસરો છે તે પ્રત્યેકની પિતાની એક મૌલિકતા છે, પોતાનું એક સુનિશ્ચિત કાર્ય છે. - એક અવસ્થાનું કાર્ય બીજી અવસ્થામાં, બીજીનું ત્રીજીમાં, ત્રીજીનું ચેથીમાં ને ચેથીનું પહેલીમાં થતું નથીઃ
જે જે અવસ્થામાં કરવાનું કામ તે તે સમયે નહિ કરો તો પછી જીવનમાં પશ્ચાત્તાપનો પાર નહિ રહે.
હવે એ ચાર વિભાગોને, આપણે ક્રમવાર ઊંડો વિચાર કરીએ: પહેલા વિભાગ (શૈશવ)માં શું કરવાનું ? : જવાબ મળ્યો : ધરાવે અશ્વત વિદ્યાનાહૂ ? શૈશવ શેનાથી સુંદર બને? વિદ્યાના અભ્યાસથી.
બાલ્યકાળમાં જેમણે વિદ્યા નથી મેળવી હતી, જીવન નથી કેળવ્યું હતું અને રમવામાં, તોફાન કરવામાં, મોજમઝા કરવામાં દિવસ વિતાવ્યા હોય છે એ જ્યારે તરુણ બનીને જીવનક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે આંખમાં આંસુ આવે છે. બાલ્યકાળને વિદ્યાના શણગારથી સરસ ન બનાવે એના નસીબમાં પસ્તાવા સિવાય કયી પુરાંત રહે ?
અહીં એક બીજો પેટા–પ્રશ્ન જાગે છે : સાચી વિદ્યા કોને કહેવાય? જે વિદ્યાથી વાણી, વિચાર અને વર્તન સુધરે એ જ સાચી વિદ્યા જે માણસ વિદ્યાવાન હોય એ બોલે તે વિચારીને બોલે. એની મીઠી