SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ht twiB જીવનનાં ચાર પગથિયાં शैशवे अभ्यस्त विद्यानाम् , यौवने पुरुषाशी नाम् । वाक्ये मुनिव्रतानाम्, योगान्ते च तनू त्यजाम् ॥ ... "હાપુરુષ ફરમાવે છે કે, માણસનું શરીર ગ્રીષ્મના એક સુંદર દિવસ જેવું છે. દિવસના ચાર વિભાગ હોય છે. પહેલું પ્રભાત, પછી મધ્યાહ્ન, પછી સંધ્યા અને છેલ્લે લય–એટલે રાત્રિ. ' પ્રભાતે જાઓ તે સૂર્ય હજી ઊગતે હોય છે. એ બાલસૂર્ય સુંદર, સોહામણો અને ભવ્ય લાગે છે. મધ્યાહે એની સામે નજર માંડો તો આંખ અંજાઈ જાય છે. સાંજે સૂર્ય શાન્ત થયેલો હોવાથી આંખને ગમે છે. અને સંદયા થઇ ગયા પછી ચોમેર અંધારું ફેલાઇ જાય છે. સૂર્યનાં દર્શન ક્યાંય નથી થતાં. માનવજીવનમાં પણ આવું જ છે ! પહેલું છે શૈશવ. કેટલું સુંદર હોય છે ! જેમ બાળસૂર્ય સૌને ગમે છે તેમ નાનું બચ્ચું પણ સૌને ગમે છે. એ અંત:પુરમાં જાય તે પણ એને કોઈ રોકે નહિ. કોઈ રાજાના મેળામાં જઈને બેસી જાય તય રાજા ખિજાય નહિ, કે તું ગરીબનું છોકરું છે ને મારા ખોળામાં કેમ બેસી ગયું ! બાલ્યાવસ્થા જ એવી છે, જે સૌકોઇને ગમે છે. પછી યુવાન બની જગતમાં ઝંપલાવે છે ત્યારે એને રમાડવા કોઈ તૈયાર નથી થતું; કારણ કે, એ મોટો અને ડાહ્યો થયો, એટલે એને હવે રમાડવાનો હોય નહિ. પછી લોકો કહે છે : “કેમ દાદા, ક્યાં ચાલ્યા ?” તે કહેશે : “ભાઈ, જરા દોરી જાવને !' '
SR No.005898
Book TitlePrakashni Kedi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherPunit Prakashan Mandir
Publication Year1966
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy