________________
આ ભયમાંથી ગામને અભય કરાવનાર કોણ? પેલો એક નાનકડો વેપારી.
ગામમાં વાતો થવા લાગી કે આપણે ક્ષત્રિય થઈને પણ જે કામ ન કરી શક્યા એ પેલો વણિક, કે જે ઊગતી યુવાનીમાં છે, સુંદર જેની કાયા છે, આશા અને અનંત ઉત્સાહ જેની સામે પડેલા છે એવો માણસ મૃત્યુની સામે પણ ગયો. અને અજુન માળી જેવાને એણે ઓગાળી નાખ્યો.
લોકો કહેવા લાગ્યા કે, ભગવાનના સમાગમને પામનારા બે માણસ તરી ગયા. અજુન માળીએ પોતાના આત્માને જોયો. અને આ સુદર્શન શેઠે જીવનમાં અભય કેળવ્યો.
આ બે વસ્તુ સમજીને આપણે એ વિચાર કરવાનો છે કે, અજન માળીએ ભગવાનનો સમાગમ સાધીને અંતરને નિર્મળ કર્યું એમ આપણે પણ ભગવાનની વાણી સાંભળીને આપણા અંતરને નિર્મળ કરીએ. જીવનમાં અભય કેળવીએ. ને આપણા પર લાગેલા દોષોને આપણે દૂર કરીએ તો આપણો આત્મા પણ સ્ફટિક જેવો ઉજજવળ અને નિર્મળ બની જશે.