________________
બીજાનું ખૂન કરીને આવ્યો છે. ભગવાન તો અંતર્યામી છે એટલે બધું જાણે છે ને છતાં પણ એમની આંખમાંથી એના પર અમીવર્ષા વરસી રહી છે.
ભગવાને કણાની એવી ધારાઓ વરસાવી કે એનો સ્પર્શ થતાં જ એને થઈ ગયું કે, હું કેવો પાપી છું ! ગળું ભરાઈ આવવાથી એ હૈયાફાટ રુદન કરવા લાગ્યો : “ક્યાં આ દૈવી મૂર્તિ અને ક્યાં મારું અધમતાભર્યું જીવન ! મેં કેટલાય લોકોને માર્યા, કેટલાયનાં ખૂન કરી નાખ્યાં. એમણે મારું શું બગાડયું હતું કે મેં એમને મારી નાખ્યા?' | ‘અજન તો ભગવાનનાં ચરણમાં આળોટી પડે છે અને કહે છે : “હે ભગવન, મારું શું થશે ? મેં આટઆટલાં ખૂન કર્યા; મેં મારા તનને, મનને અને વિચારને લોહીથી ખરડી નાખ્યાં છે.'
એટલે ભગવાને કહ્યું : “એ ગમે એવાં ખરડેલાં હોય તો પણ એને ધવાનો હજી અવકાશ છે. હે અર્જુન માળી, તું હજી પણ વિચાર કર કે તું તારા મનને તૈયાર કરીશ, તારા પાપને હઠાવી નાખીશ, તો શ્રેય થશે. તારું અંદરનું તત્ત્વ તો સારામાં સારું છે. માત્ર ઉપર કાટ ચડ્યો છે એટલું જ.'
ત્યારે પેલાએ કહ્યું : “ભગવન, મારો ઉદ્ધાર કરવા માટે મને ચારિત્ર્ય આપો.'
ભગવાને એને ભાવભીની દીક્ષા આપી.
લોકો વાતો કરે છે કે, આવા ખૂનીને પણ ભગવાને દીક્ષા દીધી. પણ ભગવાન તો જાણે છે કે વધારે ચડેલો મેલ વધારે ધોવાનો છે. '. એણે પ્રતિજ્ઞા કરી કે ભગવાન કહે. એમ મારે કરવું. પછી ભગવાને કહ્યું કે, ગામના ચાર દરવાજા છે. એ દરેક દરવાજે જઈ દોઢ મહિના સુધી તું કાયોત્સર્ગમાં ઊભો રહે. જે જાતના ઉપસર્ગો આવે એ જાતના ઉપસર્ગો ને તું સહન કર ! , એટલે આ અજુન માળી સાધુ થયો. ત્યાર પછી ગામના પૂર્વ દરવાજે જઇ એ ઊભે રહ્યો. એ સાધુના વેશમાં હતો, ત્યાં એક ભરવાડ આવ્યું. ભરવાડને થયું કે આ એ જ સાધુ છે જેણે મારા છોકરાને મારી નાખ્યો હતો ને જે સાધુના વેશમાં એ ઊભો છે. એની પાસે ડાંગ હતી એ એના માથામાં મારી. લેહીની ધારા વહેવા લાગી.
અને માળી વિચાર કરે છે કે તે દિવસે મેં તે એના છોકરાને જાનથી મારી નાખ્યો હતો. જ્યારે એણે તો ડાંગ મારી છે કયાં મારી નાખ્યો છે?