________________
તો તમે તપ નહિ પણ ઠંડા થાઓ. એ અગ્નિ હોય તો તમે પાણી થાવ.
સુદર્શન તો કાયોત્સર્ગ કરી ઊભો રહ્યો. એમના મનમાંથી શુભેચ્છાનાં આંદોલનો નીકળવા લાગ્યાં : “એનું ભલું થાઓ, એનો ક્રોધ શમી જાઓ અને એની દાનવતા માનવતામાં ફેરવાઇ જાઓ.' '
અજનને થયું કે આ શું થાય છે? હું ભલભલા માણસને ઊંચકીને ફેંકી દઉં છું. આ નાનકડો બાળક કે સુંદર છે ! એના મુખ પર કેવી શાંતિ છે! આંખો કેવી સુરમ્ય છે ! માનવીનું મૌન. એ બીજાને ઉપદેશ આપવા કરતાં પણ વધારે કામ કરી જાય છે. કેટલીક પળો એવી હોય છે કે તમે ચૂપ રહો છતાં એ ચુપકીદી વાણી કરતાં વધારે બોલે છે.
અને જેમ જેમ એવી નજીક આવતો ગયો એમ ઓગળી ગયો. અને જ્યાં એની નજીક આવ્યો ત્યાં એની અંદરનો યક્ષ હતો એ ભાગી ગયો. એ કોની પાસે ઉભો રહે ? અંધારું અજવાળા આગળ કેટલી ઘડી ટકી શકે ? અન માળી એની પાસે આવીને ઊભો રહ્યો અને એનામાંથી યક્ષ નીકળી ગયો. હવે એનું શરીર થાક અને શ્રમથી ભીનું ભીનું થઇ ગયું. પેલા યક્ષને લીધે એ આમ કરતો હતો. જેમ દારૂડિયે, દારૂના કેફને લીધે ધમાધમ કરે, અને કેફ ઊતરી જાય એટલે મડદા જેવો થઇ જાય છે, એમ.
સુદર્શને એને કહ્યું : “તું ચાલ મારી સાથે. હું જેમની પાસે જાઉં છું એમની પાસે તારા મેલ અને ગ્લાનિ નીકળી જશે.'.
આમ ભગવાન મહાવીર પાસે અને માળીને એ લઈ જાય છે ત્યાં દૂરથી ઘંટડીને અવાજ સંભળાય છે.
વાણી તો હજાર હોય પણ ભગવાનની વાણી કોઇ અભૂત હોય છે. અજુન માળી પૂછે છે : “આ શું સંભળાય છે ? “
સુદર્શન કહે : “હજ તે દૂરથી સંભળાય છે. નજીક ચાલ, એમને જો અને તને સમજાશે કે અહિંસાને સાક્ષાત્કાર કેવો હોય છે.'
બંને ભગવાનની નિકટ આવ્યા. -
પરંતુ ભગવાન મહાવીર તો આવા કર પ્રત્યે પણ કણા રાખે છે. એ તો ભગવાન છે. અને ભગવાન એવું નામ છે કે, ખરાબ કામ કરનાર લોકો પ્રત્યે પણ પ્રેમ અને કરુણા વરસાવે.
ભગવાન તો જાણે છે કે એ હિંસા લઇને આવ્યો છે પણ હવે શું ? એટલા માટે ભગવાન કેવળજ્ઞાનથી જાણતા હતા કે આ લુચ્ચો છે, ખૂની છે..