________________
જંપે નહિ. આ અજન નામનો દેવ હતો અને એ માળીમાં પેસી ગયો, એટલે અજુન માળી થયો. આ અરસામાં ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં ત્યાં નીકળ્યા.
એમને ખબર હતી કે સાત જણને મારનારો અને માળી આ પહાડોમાં ફરી રહ્યો છે. છતાં ભગવાન આવ્યા, કારણ કે એ નિર્મળ હતા. એમના હૃદયમાં અભય હતો. કરણા હતી.
જેમ પાણીમાં ગમે એટલો મોટો અંગારો પડે તો પણ અંગારો સુધરશે, પણ પાણી નહિ સુધરે એમ, જેની પાસે કરુણા અને દયા પડી છે એને દુનિયાના દુષ્ટોનો ભય નથી. ત્યાં ગામને પાદરે ભગવાન તો નિર્ભયપણે આવીને ઊતર્યા. વંદના કરવા લોકો પાદરે આવવા નીકળ્યા. ત્યાં તો આજબાજા શોરબકોર થવા લાગ્યો. સંદેશવાહકે શ્રેણિક મહારાજને સમાચાર આપ્યા : “અજન માળી ગામને પાદરે આંટા મારે છે. હજુ સુધી એણે સાત માણસ માર્યા નથી એટલે એ ગર્જના કરી રહ્યો છે.'
પણ શ્રેણિકે કહ્યું: ગામના ધનાઢચનો “પેલો દીકરો તે ચાલ્યો ગયો. એની પાસે તો તલવાર, ભાલે કે એવું કોઈ સાધન પણ નહોતું. એનું શું થશે ?” શ્રેણિકની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. કિલ્લાની બારીમાંથી જોવા લાગ્યાં કે એ ક્યાં જાય છે.
પેલે તો ધૂનમાં ને ધૂનમાં ચાલ્યો જાય છે. જેના હૃદયની અંદર ભગવાન છે, જેની આંખમાં એમની છબી છે ને મેઢામાં ભગવાનનું નામ છે એને કોઈ પણ જાતનો ભય હોતો નથીઃ
ખરી વાત તો એ છે કે ભય ક્યાં છે ? તમે વિચારવા જાઓ તો ભય છે અને વિચારમાંથી કાઢી નાખો તો અભય. દુનિયાના ભયો આવે છે એના કરતાં માણસ પોતાના મનમાં ભય પહેલો ઊભો કરે છે. ભય જેટલો ભયં? છે એના કરતાં માણસના વિચારનો ભય વધારે ભયંકર છે.
આમ એ ચાલ્યો જતો હોય છે ત્યાં દૂરથી પેલો અજન આવે છે. એની મોટી મોટી આંખો લાલ અંગારા જેવી છે મોટું પડ ૮ શરીર છે અને એનાં પગલાં સિંહ જેવાં મોટાં છે. એનું રુદ્ર સ્વરૂપ જોઈને જ માણસ અડધો મરી જાય.
લોહીથી ખરડાયેલાં કપડાંને લેવા માટે સાબુ અને પાણી જોઈએ. હિંસાને ખાળવી હોય તે અહિંસાથી ખાળી શકાય. ઘરમાં કોઈ તપેલું હોય