SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અને એના દેખતાં માળણની સાથે ચેડાં કરવા લાગ્યા. આ બધું જોઇ માળીનો તો જીવ બળી ગયો. આંખો લાલચોળ થઈ ગઈ. પણ બંધનમાં બંધાયેલો હતો એટલે લાચાર હતો. આ વખતે એનું મન વિચારે ચડી ગયું કે આટલાં વર્ષો સુધી મેં યક્ષની ભકિત કરી, પુષ્પ ચઢાવ્યાં એનું ફળ આજ કે ? એને મંદિરની અંદર જાલમ થાય અને એનો જવાબ કંઈ ન મળે? માળી યક્ષની સામે જોઈને બોલ્યો: “હે યક્ષ, તું હવે ખરેખર યક્ષ નથી, કેમકે, મેં તારી આટલાં વર્ષો સુધી ભકિત કરી છતાં એનું પરિણામ કાંઈ ન આવ્યું અને તારા દેખતાં જ અમારા પર આ અત્યાચાર ગુજારી રહ્યો છે. મૂગો મૂગો તું આ બધું જોયા કરે છે, એટલે તારામાં હવે દેવપાશું રહ્યું નથી. ત્યાં જ યક્ષ પ્રગટયો અને એના શરીરમાં પેસી ગયો. આથી માળીમાં શકિત પ્રગટતાં દોરડાં છુટી ગયાં. અને એનું બળ એટલું બધું વધ્યું કે એણે એ બધાયને પછાડી પછાડીને મારી નાખ્યા. આમ એક વાર શરીરમાં શકિત આવી પછી એને કાઢવી બહુ મુશ્કેલ છે–પછી એ શકિત દૈવી હોય કે આસુરી હોય. આ આસુરી શકિતએ એના મનમાં એવો દૃઢ નિશ્ચય પ્રગટાવ્યો કે આજથી મારે રોજ છે પુરુષ અને એક સ્ત્રીને મારવાં. એને વારવાની કોઈની હિંમત ન ચાલી. કારણ કે જે કહેવા જાય એ મરી જાય. અત્યાચાર અને અનાચાર સામે જો કોઈ અવાજ ન ઉઠાવે તો એને દંડ પ્રજાને પણ ભેગવવો પડે. આપણે ઘણી વાર કહીએ છીએ કે, “આપણે આપણું સંભાળો. પણ બીજાઓનો ગુનો પણ આપણે સહન કરવાનો છે. એટલે પ્રજા એનું નામ છે કે પ્રજામાં એક પણ ખરાબ તત્ત્વ પ્રવેશે તે એની અસર આખી પ્રજામાં થાય. તમારું ઘર તમે ચોખ્ખું રાખે પણ તમારા ઘરઆંગણે જો કચરો હશે તે બહાર જતાં તમારા પગ કચરાવાળા થવાના છે. વળી બહારથી ઊડીને ઘરની અંદર એ આવવાનો છે. સમાજનો દોષ વ્યકિતને પણ લાગુ પડે છે. એટલા માટે સમાજની શુદ્ધિ એ વ્યકિતની શુદ્ધિ છે. એટલે જે સમાજ આવા જાલમને રોકે નહિ એ સમાજને પણ રાજા થવી જોઇએ. આમ રોજ છ પુરુષ અને એક સ્ત્રી એને મળે નહિ ત્યાં સુધી એ
SR No.005898
Book TitlePrakashni Kedi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherPunit Prakashan Mandir
Publication Year1966
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy