________________
ત, ભગવાન પાસે ગયા એ ન ગયા બરાબર છે. ભગવાન પાસે જાઓ ત્યારે તમે તમારી જાતને ભૂલી જાઓ કે, કોણ છું. એ આત્મવિસ્મૃતિ એટલે જ ભગવાનની ભકિત. આપણી જાત જે યાદ આવતી હોય તો હું અને તું બે જજુદા છીએ. અને ત્યાં કશી જ મજા નથી.
યાદ રાખજો કે, સાકર દૂધમાં ઓગળ્યા સિવાય કદી મીઠાશ નહિ આપી શકે. જો ગાંગડે પડ્યો હશે તો ગાંગડો અને દૂધ જગુદાં રહેશે. એવી રીતે ભગવાનમાં તમે ઓગળો નહિ, એક બને નહિ ત્યાં સુધી એકતાની મજા તમે માણો કેવી રીતે ?
- ભકિત એટલે બીજાં કાંઇ નહિ, પણ ત્યાં તમે બધાય ભાવ ભૂલી જાઓ અને હું ભગવાનને એક તાદામ્ય બની ગયો’ અને ‘ભગવાન અને હું જાણે જજુદા જ નથી' એવો ભાવ કેળવવો જોઈએ. એટલા માટે જ એક કવિએ કહ્યું છે કે, હે મહાપૂજ્ય, તારી સાથે ઐકય સાધવામાં આ આભૂષણો અંતરાયરૂપ થાય છે. મારે આ આભૂષણ નથી જોઇતાં. કારણ ત્યાં મને ખ્યાલ આવે છે કે હું મોટો છું. મારામાં કંઈ મહત્તા છે, માટે મારું કંઈક રથાન છે. મારામાં એકતા નથી. ભગવાન આગળ જાઓ ત્યારે બધું ભૂલી જવાનું. જેમાં સાકર દૂધમાં ઓગળે છે એમ જ્યારે માણસ ભગવાનમાં એક થાય છે ત્યારે એની મીઠાશ અને મધુરતા માણે છે.
આમ માળી અને માળણ એવી ભકિત કરે છે કે જાણે પુષ્પ અને પરાગની જોડી. એમની પ્રીત અને એમનાં 9 લોકો જ્યારે જાએ ત્યારે કહે કે ખરેખર, આ બેનાં જીવનની અંદર સુંદર નૃત્ય અને ભાવ છે.
ગામના દુર્જને એમને જોવા જાય ને હૃદયમાં સારો ભાવ જાગવાને બદલે દુભવ જાગે કે, આવું સુંદર નૃત્ય, સુંદર રૂપ, આવી સુંદર કળા, અને આવી સુંદર માળા ગુંથે એ આ મામૂલી માળી જોડે શોભે? આ માળી પાસે તો બંગલ, પૈસા કે કાંઈ પણ વૈભવ ન મળે. -
જે શ્રીમંતોને પૈસા સિવાય બીજું કાંઈ સૂઝે નહિ અને દીકરાનું શું થાય છે એ જાએ નહિ, એવા શ્રીમંતોના દીકરા વિચાર કરે છે કે આ માળણ આપણે કોઇ પણ હિસાબે હાથે કરવી જોઈએ. આને માટેનાં કાવતરું રચાવા લાગ્યાં. પરિણામ એ આવ્યું કે એક દિવસ એ બન્ને નૃત્ય કરવા માટે એક સ્થાને ગયાં ત્યારે આ લોકો પણ પાછળ પાછળ ગયા. અને પેલે માળી મૃદંગ વગાડતો હતો ત્યાં એને પાછળથી પકડીને થાંભલા સાથે બાંધી દીધો.