________________
એવી રીતે આપણા મનમાં ભય છે. આથી જ માણસ ઘજે છે. અને દરવાજા બંધ હોય તો પણ ડર લાગે છે.
પછી નગરરક્ષકે આવીને પૂછયું કે, “બધા સલામત છે?” . '
શ્રેણિકે જવાબ આપ્યો કે, “ના, પેલો વણિક બહાર નીકળી ગયો છે. એને ઘણું સમજાવ્યો. પરંતુ એ તો કહે કે મારા કાનમાં ભગવાનને અવાજ સંભળાય છે. બીજા માટે મને કુરસદ નથી, ભગવાનની છબી સિવાય બીજી કોઇ છબી જેવાને અવકાશ નથી, અને મનમાં ભગવાનને જ ભાવ રમી રહ્યો છે.”
ત્યારે એને પૂછયું કે, “આ અવાજ શેનો છે? આ ભય શેને છે? અને ગામ કેમ આટલું બધું ધ્ર જી રહ્યું છે ?' - ત્યારે કહ્યું કે, “સાહેબ, એક રૂપાળી, ખૂબ સુંદર છોકરી, છાબડીમાં તાજાં ખીલેલા ફૂલને લઈને આવતી હતી એમાળની છોકરી તમને યાદ આવે છે ?'
“હા, યાદ આવે છે. એ માળણ સુંદર તાજાં પુષ્પો લઈને આવતી હતી. પાછળ એક માળીને છોકરો પણ આવતો હતો. એ બને નાનપણથી સાથે જ રહેતાં હતાં, તેથી એમના બાપે એક જ રાગ હોવાથી તેમનાં લગ્ન કરી આપ્યાં.
આમ તેઓ બન્ને હંમેશાં સાથે હોય. દૂધ લાવવાનું હોય, ફૂલો ચૂંટવા જવાનું હોય તે પણ સાથે. માળા ગુંથવાની હોય તો પણ સાથે. એમનું એક જ કામ હતું કે રાજદરબારમાં જઈને જે લોકો ભગવાનના ભકત હોય તેમને સુંદર માળાઓ બનાવી આપવી.
એ લોકો એવાં ભકત હતાં કે પોતાના ધર્મ ઉપરાંત બધાય ધર્મોને માનતા હતાં. એટલે ભગવાનને ચડાવવાનાં ફૂલ કરમાયેલાં ન હોય, કળીવાળાં કે વાસી ન હોય એની ખાસ કાળજી રાખતાં. આથી તાજાં પુષ્પો ભગવાનને ચઢાવવા માટે આપતાં.
પોતાના ભગવાન યક્ષને માટે પણ સુંદર માળા બનાવતાં. બન્ને જઈને એ માળા યક્ષને ચઢાવતાં. પગે લાગતાં ને પછી બહાર આવી, માળી મૃદંગ બજાવે અને માલણ નૃત્ય કરે. આમ સુંદર વાતાવરણ જામતું. લોકો કહેતા કે, ભકિત તે બસ આનું નામ.
આપણે ભગવાન પાસે જઈએ અને આપણી જાતને ભૂલીએ નહિ