________________
અભય કેળવે !
( જગૃહી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા હતાં. હજારો નરનારીઓ વંદન કરવા માટે તૈયાર થઈને ઊભાં હતાં.
આજનો લોકપ્રવાહ રજાને દિવસે જેમ સિનેમા-નાટકમાં જાય છે, તેમ એ જમાનામાં માનપ્રવાહ સાધુસંતોને સાંભળવા જતો.
બસ, માનવ અહીં જ પલટાયો છે. પહેલાના જમાનામાં યુવાનો પણ ધર્મ સાંભળવા ને ધર્મનાં દર્શન કરવા જતા હતા. જ્યારે આજે તો વૃદ્ધો પણ નાટક-સિનેમામાં જાય છે, અને મોહ તેમજ રંગરાગમાં રાચે છે. એ વખતે, ભગવાન મહાવીર પધારતા ત્યારે તો બધાનાં હૈયાંમાં ઉલ્લાસ ઊછળતો. તેમને હૈયાધરપત મળતી કે ચાલો, હવે મેંહનું સામ્રાજ્ય ઘટશે ને ધર્મનું સામ્રાજ્ય વધશે.
સૌની સાથે, મગધના સમ્રાટ બિંબિસાર, જેમનું બીજું નામ શ્રેણિક છે, તે પણ ઉમળકાભેર સત્કારવા તૈયાર થયા. બિંબિસારની પટરાણી અને ગણતંત્રના અધ્યક્ષ ચેટક રાજાની પુત્રી ચેલણા પણ તૈયાર થઈ.
આવીને રથમાં બેઠાં. રથનો સારથી લગામ હાથમાં લે છે એટલામાં તે એક ભયાનક ગર્જના સંભળાઈ. સાંભળતાં જ સારથીના હાથની લગામ છૂટી ગઇ. વીજળીના જેવા તેજસ્વી ઘોડા ઢીલાઢફ થઇ ગયા. સર્વત્ર ભય વ્યાપી ગયો. પછી તો બધાય એક પછી એક રથમાંથી ઊતરવા લાગ્યાં : આજે ભગવાનના દર્શન કરવા નહિ જવાય. કારણ, આપણને અંતરાયકર્મ નડે છે. સાચી વાત તો એ છે, કે આપણું નિર્બળ મન જ આપણા માર્ગમાં અંતરાય નાખતું હોય છે.
આપણા પ્રમાદને લીધે આપણે સત્કર્મ ન કરીએ તે પણ આપણે મનને એવી રીતે મનાવીએ છીએ કે આજે આપણા નસીબમાં સત્કર્મ