________________
જોઈએ, જેથી ફરીથી આપણે એ દિશામાં જતાં પહેલાં વિચારીએ.
રાવણને લોકો રાક્ષસ કહે છે. રાક્ષસ એટલે મોટા મોટા દાંતવાળે નહિ, પરંતુ અનિયંત્રિત વૃત્તિવાળો. જેની વૃત્તિઓ પોતાના કાબૂમાં નથી એ રાક્ષસ છે. અનિયંત્રિત વૃત્તિ એટલે રાક્ષસવૃત્તિ અને નિયંત્રિત વૃત્તિ એટલે દૈવી વૃત્તિ.
એટલું યાદ રાખજો : રાવણ મરી ગયો નથી, એ તો આપણા મનમાં બેઠો છે. કૌરવો પણ સમાપ્ત નથી થયા, હજી જીવંત છે.
આ વાતનો વિચાર કરીશું તો સમજાશે કે, નર્ક આ દેહમાં જ છે. તમારા મનમાં જ્યારે કોઇનું અશુભ કરવાની ઇચ્છા જાગે, કોઇનું અમંગળ કરવાની કામનો જાગે, કોઇ ભયાનક તૃષ્ણા જાગે, અહિતકારી કલ્પનાઓ ચિત્તમાં જાગી પડે ત્યારે આ દેહ જે સ્વર્ગમાં જવાનું વિમાન છે તે નર્ક
બની જાય છે.
હવે શિષ્ય એ પ્રશ્ન કર્યો : ? સ્વર્ગ ક્યાં છે? ત્યારે એને ગુરુદેવે ચોથી વાત કહી કે, વૃક્ષો વપરું !
તૃષ્ણાને જો ક્ષય થઇ જાય તે સ્વર્ગ દૂર નથી. વૃષ્ણાને ક્ષય એ શું સ્વર્ગ નથી?
વૃણાનો નાશ થઈ જાય તો અહીં બેઠાં જ સ્વર્ગ છે. ક્યાંય જવાની જરૂર નથી. અહીં જ આનંદ માન્યા કરો. તમારે કોઈને ભય નથી. કોઈને માટે અફસોસ નથી, કોઈને માટે અશુભ અને અમંગળ વિચાર નથી. આટલું હોય તો તમે સ્વર્ગમાં બેઠા છો. સ્વર્ગમાં બીજાં છે શું?
આટલું તમે કરી શકો તો અહીં સુખ અને શાંતિ બેય મળશે. પેલા સ્વર્ગમાં તો દેવ લડીલડીને મરી જાય છે. કોઇ વધુ તપ કરે તો ઇન્દ્રને એકદમ દોડવું પડે છે અને ઉર્વશી–મેનકા વગેરે અપ્સરાઓને મેકલીને તપસ્વીના તપભંગને અને પતનનો પ્રયત્ન કરવો પડે છે. એટલે તે લોકો તે હેરાનહેરાન થઈ ગયેલા હોય છે, તેમની ઉપર તે દયા લાવવા જેવું છે.
આપણે એવું સ્વર્ગ મેળવવાનું નથી. અહીં તો સદ્ગુરુ એમ કહે છે કે, તમે આ ભવની અંદર જ સ્વર્ગનો અનુભવ કરી શકે, મસ્ત રહી શકો, પણ ક્યારે? વૃણાનો વિનાશ થઈ જાય ત્યારે.
ધીરે ધીરે તૃષ્ણાની દોરી જો તૂટી જાય, તો મુકત બની જવાય. જેની તૃષ્ણાની દોરી તૂટી જાય તે સદા પ્રસન્ન બની જાય. આંખ બંધ કરે અને