SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ એને સાચે માર્ગે દોરનાર હોય તો જ ઉપરના ચારમાંથી માનવી બચી જાય છે; નહિ તો, એ ચારેય દૂષણો આવીને ઊભાં જ રહે છે. એમનાથી બચવા માટે આજે સબળ અને સમર્થ પ્રયત્નની જરૂર છે. સામાન્ય પ્રયત્નથી બચી જવાનું શક્ય નથી જ. : એટલા માટે જ દરેકેદરેક ક્ષણે અને પ્રત્યેક મિનિટે આ વાતનું હમરીંગ” (પુનરાવર્તન) થવાની જરૂર છે. આ વાત વારંવાર મગજ ઉપર અથડાશે તે જ બચી શકાશે. આ માટે મનની કેળવણીની જરૂર છે. . આ મનની કેળવણીનું પરિણામ શું ? બોજો પ્રશ્ન પૂછાયો : વ વિમુ: મુકત કોણ ? ' જવાબ મળ્યો : વિષયે વિરજી વિષયોથી વિરકત તે જ મુકત. તમારે ત્યાં કેરી આવી હોય, એનાથી મોઢામાં પાણી છૂટતું હોય, તમે કહો કે આજે નથી ખાવી. તમારા નોકરને આપી દો અને કહો કે તું ખાઇ જા....બધાય જોતા જ રહે અને તમે કહો કે એને જોતાં મારા મોઢામાં પાણી છૂટયું છે, પણ એ વિષયાસકિત છે, મારે એમાં લપટાવું નથી, એટલે નથી ખાવી–તું ખાઈ જા. બસ, આનું જ નામ વિરકિત. આ તમે મનને કેળવ્યું કહેવાય. વસ્તુઓમાંથી વિરકત બને, એને છોડીને તમે એકલા જઈને બેસશો ને જોશો તો તમારું મન આનંદ અનુભવતું હશે. તમને એમ થશે કે છોડવાની મારામાં આજે આટલી શકિત તો આવી ! જેમ જેમ માણસ છોડતો જાય છે તેમ તેમ એક પ્રકારનો આહ્વાદ મળે છે. એટલા માટે ઘણી વખત સાધુઓને કિંમતી વસ્તુઓ આપવામાં આવે છે ત્યારે સાચા સાધુઓ એની સામે પણ જોતા નથી અને કહે છે કે, “ભાઈ ! ઉઠાવો, આ બધું તે બંધન છે.” , પેલો કહે છે કે, “કેમ ? એમાં શું વાંધો ?' તો સાચા સાધુ કહે છે કે, “અમે એવું બધું જ લઈશું તે અમે મરી જવાના છીએ. તમે હટાવો અહીંથી આ વસ્તુને !' એટલે, મુકત બનવા માટેનો માર્ગ વિષયે વિરકત થવાનું છે. વિષય પરત્વેની વિરકિત જ જીવને બંધનમાંથી છોડાવનારી છે. હવે ત્રીજો પ્રશ્ન પૂછાય છે : આ વાત પાર ન ઈ : ? ઘર નરક કયું ?
SR No.005898
Book TitlePrakashni Kedi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherPunit Prakashan Mandir
Publication Year1966
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy