________________
કેટલાય માણસા પેાતાની ગાડી (મેટર) વગર બહાર જઇ શકતા નથી, જનતાની (મ્યુનિસિપાલીટીની) ગાડીમાં બેસવાની તેમને સૂગ હોય છે. મેાભા (status) એને ભાડાની બસમાં બેસતાં રોકે છે, અને તેથી પોતાની બગડી હાય અગર બહાર ગઇ હોય તો અગત્યના કામે બહાર જવાનું પણ માંડી વાળે છે, એની ગાડીએ એને એવા પરાધીન બનાવી દીધા હોય છે કે એ અગત્યનાં આવશ્યક કામ ચૂકી જાય છે. ગાડીને એ સગવડ માનતા હોવા છતાં ગાડીને કારણે જ એ અગવડ અનુભવે છે. ભાડાની ગાડીમાં બેસતાં સંકોચાય છે અને પગે ચાલવાની તા એનામાં શકિત જ કયાં છે?
આ રીતે વિચારીએ તે, એની પાસેનાં સાધનાએ જ એને બાંધી રાખ્યા છે. એના વિના એ ચલાવી શકતા નથી.
એટલે, વિષયા એક પ્રકારના નથી. દુનિયાની જે જે વસ્તુ માટે તમને એમ થાય કે આના વિના તો મારે ચાલે નહિ, આ તે મારે જોઇએ જ, ત્યારે માની લેવું કે એ રીતે માનીને તમે મજબૂત બંધનમાં પડો છે.
પહેલાં માણસ ટેવ પાડે છે અને પછી ટેવ માણસને પાડે છે ઉપર ચડી બેસે છે. આ બંધન નાજજીક, પાતળાં અને સુંદર દેખાય છે.
કહે છે કે, ‘વજ્રબંધ પણ જસ બળે તૂટે, સ્નેહતંતુથી તે નવ છૂટે.’ જે માણસ સાંકળાનાં બંધન તોડી શકે છે, તે વિષયોના કાચા સૂતરના તાંતણા જેવાં મુલાયમ બંધનાને છેડી શકતા નથી.
શરીરને બાંધનારાં બંધના છેાડી શકાશે, પરંતુ મનને બાંધનારાં આવાં પાતળાં બંધનોને તાડવાં બહુ મુશ્કેલ છે.
આ બંધનમાંથી નીકળવુ' એ જ માનવજીવનના પરમ હેતુ છે. તમે એમ માનતા હશે। કે આ કામ એકલા સાધુઓનું જ છે. પણ ના, સંસારમાં પણ જ્યાં બેઠેલા હા ત્યાંથી સૌએ એ શરૂઆત કરવાની છે.
ઓછામાં ઓછાં સાધનોથી, ઓછામાં ઓછી વસ્તુઓથી કેમ ન ચાલે, એના વિના હું કેમ ન રહી શકું—એ વિચારતા થાવ અને એ વિચારના તમે સ્વામી બનેા.
વસ્તુ તમને બાંધનારી ન બને એટલું સાચવજો. એને કહેા કે હું તને ઉપયોગ માટે રાખું છું, બાંધવા માટે નહિ.
આવું સ્વામિત્વ આવે ત્યારે સમજજો કે મન હવે કંઇક તાજનુ થયુ' છે, મન હવે ટકા વિના ચાલી શકે છે.