________________
સંત તુલસીદાસજીએ કહ્યું છે કે, “એક ઘડી, આધી ઘડી.” ચોવીસ કલાક તું ખાવામાં, પીવામાં, રસમાં, રંગમાં, રાગમાં વિતાવે છે, પણ તું એક ઘડી તો સત્સંગ કે સંતસંગ નિમિત્તે કાઢ. પેલે કહે છે કે, “સાહેબ, ફુરસદનો ટાઈમ ક્યાં છે? આ વ્યાપાર, ધંધા, મિટિંગો, મુલાકાતો, બધે જવાનું હોય છે. અને એમાં અમને સમય–બમય નથી. પછી પેલા મહાપુરુષને કરુણા આવી. એને થયું કે આ જીવ છે બહુ ઉપાધિવાળો. એટલે એણે કહ્યું કે, “આધી ઘડી.’ કેટલી બધી સગવડ! એક ઘડી તારાથી ન થાય, પણ અડધી ઘડી તો થાય ને?
તો પેલો કહે, “ના મહારાજ ! આટલુંય નહિ બને. એને તો બધે કન્સેશન (રાહત) જોઈએ. એમાં પણ ધર્મની બાબતમાં તે વધારામાં વધારે.
ત્યારે એણે કહ્યું કે, “આધી મેં પુનિ આધ.” અડધીનીય અડધી..બોલ ભાઇ, હવે તો ફાવશે ને?
તુલસીદાસ જેવા મહાકવિ કહે છે કે, સંત માણસની પાસે જાવ; સંતપુરુષોને સંપર્ક સાધો. તો પરિણામ એ આવશે કે, “કટે કોટિ અપરાધ.
દુનિયામાં તમને અપરાધ વધારનારા મળવાના છે; પણ સાધુ પુરુષ જ એક એવા છે કે જે તમને અપરાધેમાંથી મુકિત અપાવશે.
તમે જ્યાં જશો ત્યાં હા ધરવામાં આવશે, કૉફી ધરવામાં આવશે, બીડી કે સિગરેટ અપાશે અને વધારે ‘સુધરેલ’ હશે તો પેલી “ખાલીઓ” ધરશે. પરંતુ, આત્માની વાત કે જ્ઞાનનો બોધ ધરનારો તમારી પાસે છે કેઈ?
અને તમારા જે આડતિયાઓ, વેપારીઓ, ગ્રાહકે છે એ તો તમને વધારેમાં વધારે નીચે પાડવા માટે ખુશામત કરીને વાહ-વાહ કરનારા છે.
સાચું અને રોકડું વચન તમને કોણ સંભળાવશે ? ઉપરનામાંથી કોઇની તાકાત નથી કે તમને કહે કે, “શેઠ, તમે બધી બાબતમાં સારા છે, પણ તમે આ બાબતમાં તે ઠીક નથી.' કારણ કે, એમ કહેવા જાય તો એનો રોટલો તૂટી જાય. એટલે એને તો થવાનું કે શેઠ ભલે પડે કૂવામાં, આપણે શું કામ છે? આપણે તો આપણા અર્થથી, ધનથી અને લાભથી. કામ છે.
એક સાધુપુરુષ જ એવા છે, જે તમારા મનની અંદર જે રોગ લાગ્યા હોય, વિકૃતિઓ વળગી હોય, કોઇ ખરાબી આવેલી હોય, તે માટે એમ કહે કે આનું તે ઓપરેશન કરાવ્યા વિના ચાલે એમ નથી. અને જો તેનું આપરેશન નહિ કરો તો આ રોગ ધીમે ધીમે વધતો જવાનો.