________________
બને છે. આપણે તે ચેતન કહેવાઈએ. આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણામાં આવે મૈત્રીભાવ આવ્યો ? કદી આવી ત્યાગની ભાવના જમી? માટે જ ચિન્તકે કહે છે કે ધર્મનું પહેલું પગથિયું મૈત્રી છે. આ મૈત્રીને ઉદય થયા પછી આપણે ગમે એવું મહાન કાર્ય કરીશું તે ય આપણામાં “અહમ નહિ આવે. એમ જ થશે કે આ તે મારું કર્તવ્ય છે, અને માનવ તરીકે હું મારા કર્તવ્ય કરું છું. આવી કર્તવ્યભાવનાને જગાડવા માટે, પ્રભાતે આત્મચિન્તન અને જીવનચિન્તન કરવું જોઈએ. અને કાચની આરસીમાં મુખડાને જોવા કરતાં મહાપુરુષેના ચરિત્રરૂપ આરસીમાં આત્માનું સૌન્દર્ય અવલેકવું એ જ કલ્યાણને માર્ગ છે.