________________
ત્યારે દૂધ ગરમ થતું જાય, તેમ પાણી મળતું જાય; કારણ કે પાણી માને છે કે આણે મને રંગ આપે તે મારે એની ખાતર બળવું જોઈએ. અને પાણી બળવા લાગે છે બળી જાય છે, ત્યારે દૂધ વિચારે છે કે મારે માટે પાણીએ પ્રાણ આપ્યા તે મારે એની પાછળ બળી મરવું જોઈએ. અને પછી એ ઊભારે થઈ અગ્નિમાં ઝંપલાવે છે; મિત્ર પાછળ બળી મરવા તૈયાર થાય છે. ત્યારે માણસ શું કરે છે? દૂધમાં પાણી રેડે છે. મિત્રને પામતાં દૂધને ઊભરે શાંત બની જાય છે–ઉભરો બેસી જાય છે અને પછી માણસે તુરત દૂધને ચૂલા ઉપરથી ઉતારી લે છે,
આ જડની મૈત્રી ! જડ જેવી વસ્તુ પણ મૈત્રીભાવ કેળવ્યા પછી સર્વસ્વ અર્પણ કરવા તત્પર