________________
જે મનુષ્ય આ ચાર ભાવનાપૂર્વક જીવનની ક્રિયા કરતો હોય, એનામાં સ્વાર્થબુદ્ધિ કે પર વંચના કેમ હોઈ શકે? એ તે એમ જ માનતા હોય છે કે હું આ દુનિયામાં આવ્યું છું, માનવતાની સુવાસ ફેલાવવા તે પછી મારાથી તે જરા પણ બૂરું કેમ થાય? જગતના ભલામાં જ મારું ભલું છે. જગતમાં અશાંતિ હોય તે હું શાંતિથી કઈ રીતે જીવી શકું? હું જેમ સુખ, શાંતિ અને આબાદી ઈરછું છું, તેમ બીજાને પણ એની જ તૃષ્ણા છે, તે મારું અત્યારે કર્તવ્ય એ છે કેબીજાને શાંતિ આપવી અને બીજાને અશાંતિ ન થાય એ રીતે મારે જીવવું છે. જગતની અશાંતિમાં મારે ફાળે ન હૈ જોઇએ.
જગત દુખી હોય ત્યારે હું એશ-આરામમાં