________________
રિડિયે રૂપક વિષે કંઈક “જીવનમાધુરી ના જુલાઈ ૧૯૫૭ના અંકમાં પ્રા. ડોલરરાય માંકડે રેડિયે રૂપક તરીકે પ્રસિદ્ધ થયેલા અભિનવ નાચ–પ્રકાર વિશે મીમાંસાત્મક નોંધ લખી છે. તે નોંધ વાંચીને મને જે વિચારો સ્કુર્યા છે તે આ નોંધ રૂપે અહીં રજૂ કરું છું.
રેડિયે રૂપક નો નાટક પ્રકાર છે અને તેનું સ્વરૂપ-બંધારણ વિશિષ્ટ છે એમ કહીને પ્રા. માંકડ આ વિશિષ્ટતાની ચર્ચા કરે છે. આ ચર્ચા તેમણે કેવળ અભિનયની દષ્ટિએ કરી છે. એમનું કહેવું સાચું છે કે રેડિયે રૂ૫કમાં માત્ર વાચિક અભિનય કામમાં આવે છે. સાત્વિક અભિનય પણ ઓછેવત્તે અંશે વાચિક અભિનય દ્વારા જ યોજી શકાય. આહાર્ય અભિનય એટલે વેશભૂષા, દૃશ્ય–સંવિધાન વગેરેને આ પ્રકારમાં બિલકુલ અવકાશ નથી. એ જ રીતે પાનાં અંગોપાંગનાં હલનચલન કે વિન્યાસને એટલે કે આંગિક કે કાયિક અભિનયને પણ અવકાશ નથી.
તે પછી પ્રા. માંકડ રેડિયે રૂપકનું પ્રાચીન સંસ્કૃત નાટયપ્રકાર ભાણુ” સાથે સામ્ય દર્શાવવાનો પ્રયત્ન કરે છે અને એ સામ્યને કારણે રેડિયો રૂપકનું રેડિયે ભાણ” કે “રેડિયે ભાણિકા' નામ સૂચવે છે. એ કહે છે કે સંસ્કૃત “ભાણ'માં એક જ નર વારાફરતી જુદાં જુદાં પાત્રો ભજવતો જાય છે, તેમાં ચારે જાતના અભિનયો. હોય છે, પણ વાચિક અભિનય પ્રધાન હોય છે. એક જ દશ્યમાં એકના એક નટે જુદાં જુદાં પાત્ર ભજવવાનાં હોવાથી પાત્ર પર વેશભૂષાનો જે ભેદ કરવો જોઈએ એ તો એમાં શક્ય નથી, એટલે આ પ્રકારમાં આહાર્ય અભિનયને “ લગભગ સ્થાન નથી જ. નટ ભાષણથી (વાચિક અભિનયથી) અને કાયિક અભિનયથી જ કાર્ય