________________
અવાચીન ગુજરાતી કવિતા-૨ઃ જીવનદર્શન ૮૯ હૃદયને સંતોષ થતો નથી, એ નિર્વિવાદ છે. એટલે અર્થ અને કામના સેવન સાથે ધર્મ-આધ્યાત્મિક જીવનને સમન્વય થાય અને પ્રાચીન લાગતી પણ અર્વાચીનકાળમાં પણ એટલી જ આવશ્યક પુરૃષાર્થ-ત્રયીના સુસંગત સેવનથી સમૃદ્ધ બને એ ઈચ્છવા યોગ્ય છે.
આજે સામાજિક અને આર્થિક ક્રાંતિથી જીવન ઉપરતળે રહ્યું છે. કચડાઈ રહેલા માનવને પિતાની શક્તિનું ભાન થયું છે અને પિતાના માનેલા હકને માટે ગમે તે ઉપાયો જવા તત્પર બન્યો છે. કવિતાએ આજ સુધીના સમયમાં આ દલિતપીડિતનો સબળ પક્ષ કર્યો છે. પણ સમાજનું કે સમગ્ર પ્રજાનું સ્વાથ્ય હકની હિમાયત કરવા સાથે માનવની જવાબદારી પર પણ એટલો જ ભાર મૂકવો પડશે. ધનિક અને ધનહીનની માનવતા ઉોધવી પડશે અને બંનેને સ્વકર્તવ્યનિષ્ઠા સમજાવવી પડશે. અને આ કાર્ય પક્ષાપક્ષીમાં પડેલા રાજનીતિ ભાગ્યે જ સાધી શકશે. જુદા જુદા મતમતાંતરે, ખંડમંડનમાં રાચતા વિચારકે પણ કદાચ નહિ સાધી શકે. આ કાર્ય સફળ રીતે સાધી શકે, વિભિન્નતામાં એકતા જત, અસુંદરમાં પણ સૌંદર્ય જેતે અને ક્ષણિકમાં સનાતન જેતે એક માત્ર કવિ.