SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતા-૨ જીવનદર્શન સમાજવાદી જીવનદર્શન આર્થિક સમાનતા અથે માનવ સમાનતા ઉપર ભાર મૂકે છે. વ્યક્તિનાં ગૌરવ અને સ્વાતંત્ર્યની ભાવનાએને નવજીવન ભાવનાએ પુષ્ટ કરી. પણ સમાજવાદ અને પ્રગતિવાદ કેવળ ઈહજીવનનિષ્ઠ છે, જીવન-વિગ્રહના નિરાકરણમાં જ વ્યગ્ર રહેતા આ વાદને આધ્યાત્મિકતાના પ્રશ્ન તરફ નજર નાખવા જેટલો અવકાશ પણ નથી. આ ઉપરાંત વિજ્ઞાન-વિકાસને લીધે પ્રકૃતિનાં અનેક રહસ્ય ઉકેલાતાં અને પરિણામે જીવનની નિગૂઢ માર્મિકતા ઓસરી જતાં “ઈશ્વર” તત્વમાં શ્રદ્ધા ઢીલી પડે અને નિરીશ્વરવાદી સામ્યવાદને પ્રચંડ બળ માનવ–માનસને મુગ્ધ કરતું હોય તે પરિસ્થિતિમાં જીવન-દર્શન કેવળ અિહિક અને ભૌતિક બની જાય એ દેખીતું છે. પણ સમગ્ર દષ્ટિએ જોતાં આપણું જીવન-દર્શને આવી નરી ઈહલેકનિષ્ઠતામાંથી બચી ગયું છે, એ નવજીવન ભાવનાને વિજય ગણાવો જોઈએ. જગત કેાઈ સનાતન તત્વનો આવિર્ભાવ છે અને એ તત્ત્વ સુંદરમાં સૌન્દર્ય, કરાળમાં કરળતા, અમંગળમાં પણ મંગળ રૂપ એવી અનેક વિભૂતિઓ દ્વારા વ્યક્ત થતું આજનો કવિ જુએ છે. આ દર્શનમાં ટાગોરનાં કાવ્યની અસર પણ ઠીક ઠીક અંશે થઈ છે એમ નોંધવું જોઈએ. ગાંધીજીની ભાવનાની બીજી મોટી અસર થઈ છે કલા અને નીતિના સંબંધના પ્રશ્નમાં. “કલા ખાતર કલા' કે સંવેદનના સૌન્દર્યને અનિયંત્રિત રીતે વ્યક્ત કરવાના કલાકારના હકની ચર્ચા આપણે ત્યાં ઠીક થઈ છે. સર્જકની આ સ્વતંત્રતા સ્વીકારાઈ પણ છે અને રૂઢ નીતિ-વૃત્તિને ક્ષોભ પમાડે એવી કૃતિઓ કોઈ ને કંઈ સર્જાઈ પણ છે, છતાં કવિતાએ નીતિને નેવે મૂકીને શુદ્ર વાસનાનું જ ઉત્તેજન કરવાનું હાથ ધર્યું નથી. ઉત્કટ પ્રેમ અને સંભોગશૃંગારનાં અંગોપાંગનું નિરૂપણ પણ ઉછુંખલતામાં રાચતું નથી. નારીપ્રતિષ્ઠાના પ્રચંડ આંદલને પશ્ચિમમાં સ્ત્રીને પુરુષની પ્રતિસ્પધી બનાવી મૂકી તેવા અતિરેકમાંથી આપણો દેશ આજે બચી ગયો હોય એમ લાગે છે.
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy