________________
ર : જીવનદર્શન ઈસવી સનના વીસમા શતકને પૂર્વાર્ધ પુરે થાય છે તે સમયે આજની અને આવતી કાલની ગુજરાતી કવિતાનું સરવૈયું અને અડસટ્ટો કાઢતી વેળા કોઈને પ્રશ્ન થવા સંભવ છે કે આ સરવૈયું અને અડસટ્ટો ગુજરાતી કવિતાનાં જ કેમ? સમગ્ર સાહિત્યનાં કેમ નહિ ? આ પ્રશ્ન સ્વાભાવિક છે અને એનું નિરાકરણ કરવું પણ અઘરું નથી. કાર્તિકેય અને ગણપતિ એ બંને ભાઈઓ વચ્ચે થયેલી. સ્પર્ધાની પૌરાણિક કથા ઘણાને યાદ હશે. ગણપતિએ માતાપિતાની પ્રદક્ષિણા કરી તેમાં પૃથ્વીની પ્રદિક્ષણા થઈ ગઈ અને ગણપતિને વરદાન મળ્યું. એવી રીતે કવિતાનું સરવૈયું નીકળી ગયું તેથી સમગ્ર સાહિત્યનું સરવૈયું નીકળી ગયું એમ માનવામાં હાનિ નથી. સાહિત્યના સત્ત્વનું દર્શન કવિતામાં આવી વસે છે. એટલું જ નહિ, પણ સાહિત્ય પણ જીવનનિષ્ઠ–આજે તે માત્ર જીવનનિષ્ઠ નહિ, પણ જીવનપ્રતિષ્ઠ છે તેથી આપણા વર્તમાન જીવનમાં પ્રવર્તમાન બળાબળાનું પ્રતિબિંબ સાહિત્યમાં અવશ્ય ઝીલાય છે. આમ સરવાળે તે આજની કવિતાનું નિરૂપણ એટલે આજના જીવનનું નિરૂપણ એમ ફલિત થાય છે.
પણ આ જ કારણને લીધે કવિની જવાબદારી પણ વધે છે. "જીવન-દધિને મળીને કાઢેલું નવનીત તે સાહિત્ય અને સાહિત્યનવનીતને પણ તાવીને કાંઠેલા ઘત જેવી કવિતા હોવાથી જીવનના માત્ર સ્કૂલ કે બાહ્ય આવિર્ભામાં રાચવું કવિને ન પાલવે, સામાન્ય દષ્ટિને વિશખલ કે આકરિમક દેખાતી વિચિત્ર અને વિવિધ જીવનઘટનાઓમાં કવિ-દષ્ટિ સૂત્રાત્મભૂત સ્થાયી તત્ત્વનું સનાતન સુંદર મૌનનું દર્શન કરે છે. આવું માર્મિક દર્શન કરી શકે એ દ્રષ્ટા તે ક્રાન્તદ્રષ્ટા-તે જ કવિ. દરેક કવિનું દર્શન સમાન ઉપાદાન