________________
અક્ષર કલ્પના હેય તે તે “બનું વિશ્વ-માનવી” અને “માથે ધરું ધૂળ વસુંધરાની” એ પ્રકારની છે. | સામાજિક ક્ષેત્રે વ્યક્તિનાં ગૌરવ અને સ્વાતંત્ર્ય સ્વીકારાયેલાં હેવાથી કુટુંબ-જીવનમાં એકમ તરીકે સ્ત્રી અથવા પુરુષનું પરસ્પર પૂરક ગણાવા છતાં સમાનતાની ભાવના ઉપર પ્રતિષ્ઠિત છે. લગ્ન-જીવનમાં સ્ત્રી પુરુષની સહચરી છે અને લગ્નસંસ્થાનું ગૌરવ ઓછું અંકાયું નથી.
અને પ્રાચીન મૂલ્યની જ વાત કરીએ છીએ ત્યારે એક મુદ્દા તરફ ધ્યાન દોરવાનું મન થાય છે. પ્રાચીન કાળમાં માનવની મર્યાદાઓ સ્વીકારાઈ હોવા છતાં આત્મા અંતે તે પરમાત્મા એ ભાવના સેવાતી. ભક્તિમાર્ગમાં પણ “હરિચરણનકી દાસી” કે “ભક્તિ હરિનો કવિ હરિનું સામીપ્ય ને પ્રાપ્તિ માટે ઝંખતે, આજના બદલાયેલા જીવનદર્શનમાં ઈહ–જીવનની મર્યાદા છે. એક ડગલું બસ થાય.” “આપજે તારા અંતરને એક તાર, “બીજુ હું કાંઈ ન માગું“મહાનલ, એક જ દે ચિનગારી !”-એવી સેવાની ભાવનામાં મર્યાદાઓ ઉપર વધારે ભાર મૂકાતો હોય એમ નથી લાગતું? આવો લક્ષ્ય-સંકોચ નરમાંથી નારાયણ સર્જવાને ભાગ્યે જ સમર્થ થાય; ઊલટું માનવ તે મર્યાદા અને અશક્તિથી દબાયેલ છેતે જીવનમાં ઉદાત્ત ભાવનાઓ કે એને કેટલે અંશે અપનાવી શકે ? જેટલું આચરી શકાય તેટલું. આચરવું. આવી આજના જીવનમાં નજરે આવતી મનવૃત્તિના મૂળમાં આ લક્ષ્ય–સંકેચ રહ્યો છે. પ્રાચીન ભાવનાની ઉદાત્તતાથી ખસતાં અર્વાચીન જીવનમાં કેવું ડહોળાણ પેદા થયું છે!—પણ કદાચ આ વિષયાન્તર પણ હોય.