SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષણ પ્રભુ સાક્ષી ધારી હદયભવને, શાન્ત મનડે, પ્રતિષી કેરું હિત ચહી લડે પાપ મટશે. " (કાવ્યમંગલા પૃ. ૧૭) . એવી વિવેકદષ્ટિને પુરસ્કાર કર્યો છે. પ્રાચીન હોવા છતાં અહિંસાની જે ભાવના પ્રાચીનકાળનાં કાવ્યોમાં બહુ ઝીલાઈ નથી તે ભાવના આપણી અર્વાચીન કવિતામાં અનેક કવિઓએ ગાઈ છે. આ ભાવનામાં માનવ માનવ વચ્ચે ઉચ્ચ-નીચના ભેદ, ગરીબ-તવંગર વચ્ચેના ભેદને અવકાશ ન જ હોયઃ ઊલટું પાપી, ગરીબ, દલિતપતિત પ્રત્યે સમભાવ સેવાય. “પતિતના સાથમાં પતિત સમ થઈ રહું” એવી અભિલાષા પણ વ્યક્ત કરાઈ છે. જન્મથી ઉચ્ચ-નીચપણું નહિ પણ કમથી ઉચ્ચનીચપણું માણસમાં આવે એવો કર્ણને દાવો હૈવાયત્ત ] મમ ાચત્ત તુ વૉકમ્ એ શબ્દોમાં પ્રાચીનકાળમાં વ્યક્ત છેઃ એ જ વાત આજનો કવિ કર્ણના મુખમાં મૂકતાં કહે છે : કે હીન ને નવ હીન માનવી, કે હીન કર્મો કરી હીન માનવી.” (પ્રાચીના', પૃ.૬) ઊલટું આ વર્ષથી મળતી પ્રતિષ્ઠા અને ઉચ્ચતાનો વિરોધ કરવામાં કવિવાણી ટાક્ષનો આશરો લે છે, અને કેટલીક વાર બળ કટતાવાળું ઉગ્ર રૂપ પણ ધારણ કરે છે. સાચો માનવી તે ખેડૂત કે સફાઈ દ્વારા લોકસેવા કરતો ઢેઢ છે એવું સૂચવતાં કથાકાવ્યો કે પ્રસંગકાવ્યો રચાયાં છે. ઝૂંપડીમાં લિંગ મૂકાયું કુટતાં અમૃત વાચસાત નભના ઘુમ્મટ તાણે માયે ન તાંડવ નાચ: તો યે તારું ઝૂંપડુ મોટું ત્યજાયને ઉર આગેટું ! (કેડિયાં, પૃ. ૬૪)
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy