________________
૭૮
અક્ષરા આરંભ પહેલાંના કાળમાં સામાજિક મૂલ્યો બદલાયાં, દેશાભિમાનની અને ઉત્થાનની ભાવનાઓની નવી કુંપળ ફૂટી, નૈતિક આચારની અનિષ્ટતાઓ પ્રત્યે વિરોધ દર્શાવાયો. છતાં, સમગ્રપણે જોતાં કર્મકાંડ પ્રત્યે અનાસ્થા હોવા છતાં, ઈશ્વર તમાં શ્રદ્ધા જળવાઈ રહી. નર્મદ અને બળવંતરાય ઠાકોર જેવા કવિઓ ઉત્થાન અને પુરુષાર્થની હાકલ કરે છે, છતાં “ખેતી” જેવા કાવ્યમાં બળવંતરાય જાયેઅજાણે કેાઈ સાંકેતિક વિધાનમાં માનતા હોય એમ પણ લાગે છે. કાન્તની કવિતામાં ઈશ્વર અને દૈવનાં તત્ત્વ ધ્યાન ખેંચે તે રીતે
અનુપ્રવેશે છે. પ્રાર્થનાસમાજ નરસિંહરાવ અને અભેદાનુભવમાં આત્મ- નિમજજન ઝંખતા મણિલાલની તો વાત જ શી કરવી ? હાનાલાલની કવિતા લગ્ન-સ્નેહ અને સ્નેહ-લગ્નનો નૈતિક-સામાજિક પ્રશ્ન ચર્ચ છે અને નેહ-લગ્નથી જોડાયેલા આત્માઓ આજીવન બ્રહ્મચર્ય પાળે અને લોકસેવાનાં કાર્યો કરી શકે એવો ભેદ “અપાર્થિવ આદર્શ પણ રજૂ કરે છે. બેટાદકર સંયુક્ત કુટુંબજીવનમાં સંભવતી મધુરતાનું ગુંજન કરે છે. સમગ્રપણે જોતાં, આ કાળની કવિતામાં સંક્રાંતિકાળમાં અનિવાર્ય બને તેવાં ક્ષોભ, સંઘર્ષ, અનિશ્ચિતતા વગેરે લક્ષણો નજરે આવે છે. જો કે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સાહિત્યના સંપર્કના પ્રભાવથી પ્રજાજીવનના વિકાસની દિશા તો નિશ્ચિત થઈ ગઈ હતી. '
પહેલા વિશ્વવિદ્મહે જાણે કે વિશ્વસંધાનને માર્ગ મોકળો કરી આયો ! વિજ્ઞાનની પ્રગતિએ સ્થૂળ અર્થમાં એ કાર્યને વેગ આપ્યો. રાજકારણ અને સામાજિક તેમ જ આર્થિક ક્ષેત્રે ક્રાન્તિ લાવનાર સામ્યવાદ, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વ્યક્તિ અને સમાજનું સમન્વિત હિત પુરસ્કાર સમાજવાદ વગેરે પરદેશમાં ઉત્પન્ન થયેલી વિચારધારાઓ આપણે ત્યાં ઝીલાવા લાગી. પણ એ જ ટાંકણે ભારતીયત્વને કાયાકલ્પ કરી આપનાર બળ ગાંધીજીની ભાવનાઓ રૂપે આપણે ત્યાં અવતર્યું. સામાજિક, આર્થિક, નૈતિક, ધાર્મિક અને રાજકીય પ્રજાજીવનનાં બધાં ક્ષેત્રમાં આ બળનો સંચાર થયો. પ્રગતિ તરફ