________________
અર્વાચીન ગુજરાતી કવિતા ૧: પ્રાચીન મૂલ્યોનું નિરૂપણ
આરંભમાં “અર્વાચીન કવિતા' એટલે શું અને “પ્રાચીન મૂલ્યો” એટલે શું એ વિશે સ્પષ્ટતા કરવી આવશ્યક છે. અર્વાચીન કવિતા એટલે ૧૯૩૦ પછીની કવિતા–ઉમાશંકર–સુંદરમથી આરંભાતી કવિતા એવી મર્યાદા આ પ્રવચન પૂરતી સ્વીકારી છે. આ અનુસંધાનમાં “પ્રાચીન મૂલ્યો' વિશે સ્પષ્ટ કરવું જરા કઠણ બને છે. પ્રાચીન મૂલ્ય એટલે દયારામના સમય સુધીની કવિતામાં સ્વીકારાયેલાં મૂલ્યો જ સમજવાં કે નર્મદથી અને દલપતરામથી પણ-શરૂ થયેલા અર્વાચીન કાળની કવિતામાં નિરૂપાયેલાં મૂલ્યો સમજવાં કે બંને સમજવાં? પ્રાચીન અને મધ્યકાલીન કવિતામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પ્રધાનપણે નિરૂપાયાં છે. ઈશ્વરમાં શ્રદ્ધા, “ધર્મ જ્ય–પાપે ક્ષય એ નૈતિક સિદ્ધાંતને રવીકાર, ઈહ જીવન પ્રત્યે વિમુખતા અને મોક્ષ પ્રાપ્તિ માટે ઉત્સુકતા, નાતજાતનાં ભેદ અને બંધનોનો સ્વીકાર, સ્ત્રીની સામાજિક અને આર્થિક સ્વતંત્રતા, સ્ત્રી કેળવણીને અભાવ, અંધશ્રદ્ધા વગેરે ધાર્મિક, સામાજિક, નૈતિક અને આર્થિક મૂલ્યો અને દૃષ્ટિબિંદુઓ સ્વીકારાયાં હતાં. નર્મદના સમયથી શરૂ થતા અર્વાચીન કાળમાં સગવશાત્ લગભગ આમૂલ પરિવર્તન આવ્યું. એક જ શબ્દમાં કહીએ તો સુધારો જીવનના સમગ્ર ક્ષેત્રમાં પ્રધાન સૂર બની રહ્યો. ઈહલોકાભિમુખતા સ્વીકારાવાથી કેળવણીનો અને સ્ત્રીકેળવણીને પ્રચાર, નાતજાતનાં ભેદ અને બંધને તેમ જ વહેમને ત્યાગ, સામાજિક અને નૈતિક દૂષણને વિરોધ, વિદેશભાવના વગેરે સાહિત્યમાં તેમ જ કવિતામાં ઝીલાયાં. નર્મદથી માંડીને ગાંધીયુગના