________________
અક્ષર ઈષ્ટદેવમાં આસ્થા રાખીને તેની જ પ્રેરણાથી ગ્રહોની પ્રતિકૂળતા જશે અને અનુકૂળ રહે બળવાન બનશે એ આદેશ આપવા પ્રેરાય છે, કંઈક એવી જ ભાવનાથી મને પણ કહેવાની પ્રેરણ થાય છે કે આપણી આવતી કાલની વિવેચનપ્રવૃત્તિના પાયામાં આપણા યુવાન સાહિત્યરસિકો અને અભ્યાસીઓને વિદ્યાવ્યાસંગ, વિવેકશક્તિ અને ઉદ્યમશીલતા હશે, જેને લીધે વિવેચનપ્રવૃત્તિ દઢ-કાય અને તેજસ્વી બનશે અને એવી સમર્થ વિવેચનપ્રવૃત્તિની કસોટીએ ચડતું આવતી કાલનું સાહિત્ય વધારે વીર્યશાળી, વધારે તેજસ્વી બનશે. (આકાશવાણી મુંબઈ, ૧૦ જૂન ૧૯૫૯ )