________________
આવતી કાલનું ગુજરાતી વિવેચન
૭૫ થાય છે. બીજો પ્રેમેટીક-વ્યવહારદર્શ—આ પ્રકારના વિવેચનમાં સહદોને આ કૃતિ સંતોષી શકશે કે કેમ તે વિચારાય છે. ત્રીજો પ્રકાર છે એકસપ્રેસીવ–આવિષ્કારદશી—આ પ્રકારનું વિવેચનકૃતિ કવિના સંવેદનને યથાવત્ અભિવ્યકત કરે છે કે કેમ તેની ચર્ચા કરે છે. અને પ્રકાર છે જેકટીવ-વસ્તુદશ—આ પ્રકારના વિવેચનમાં કાવ્યકૃતિનું તેનાં અંગોપાંગની સમુચિતતા, સૌષ્ઠવ વગેરેની દટએ નિરૂપણ કરાય છે. આજની અંગ્રેજી વિવેચનપ્રવૃત્તિને ઝોક કવિતાને એક “ઓરગેનીઝમ જીવાણુ જેવી ગણવા તરફ છે. આપણે ત્યાં વિવેચનના આ ચારેય પ્રકારને વિનિયોગ કરાય છે. કોઈ વિશિષ્ટ વલણ કે દૃષ્ટિ વિવેચનના વ્યાવર્તક લક્ષણ તરીકે સ્વીકારીને વિવેચનપ્રવૃત્તિ સામાન્ય રીતે કરાતી નથી.
છતાં આપણું વિવેચન એક તરફ સર્જકની સ્વતંત્રતાના સિદ્ધાંતનો સ્વીકાર કરે છે તો બીજી તરફ પ્રજાજીવનની સમસ્યાઓ પ્રત્યે પ્રજા પ્રત્યે તેની જવાબદારી પણ સ્વીકારે છે. આ ફેર આસ સેક- કલા ખાતર કલા'ને નામે આપણું વિવેચન સુરુચિના ભંગને કે સ્વીકૃત નીતિનિયમોના વ્યતિક્રમને અપનાવવા તત્પર નથી. આપ માં કોઈ સર્જક “લોલીટ” જેવી કૃતિ રચવાની ધૃષ્ટતા કરે જ નહી, અને કરે તો આપણું વિવેચન “કલા ખાતર કલા'ના સિદ્ધાંતના
ઠા નીચે કે માનસવિશ્લેષણ અને મનવૃત્તિના નિરૂપણના સુંદર નમૂના તરીકે સર્જકની સ્વતંત્રતાના સિદ્ધાંતની રુએ એવી વિકૃતિને અપનાવે જ નહિ “લોલીટા' તો ઠીક પણ શિવકુમાર જોશીની નવલકથા “અનંગરાગ' વિશે પણ આપણું વિવેચન કેવું વલણ ધારણ કરે છે એ પણ વિવેચનના સ્વરૂપને સમજવામાં ઘણું સહાયભૂત બનશે. - આ છે આવતી કાલના વિવેચનની “જન્મકુંડળી ”! ભલભલા
જ્યોતિષીને પણ ઘડીભર વિમાસણમાં નાખી દે એવી છે એમાં વરતાતી ગ્રહની સ્થિતિ ! પણ ઈષ્ટદેવની ઉપાસના કરતો તિષી