________________
७४
અક્ષણ તરીકે, થોડા સમય પહેલાં આપણા યેષ્ઠ વિવેચનકાર શ્રી વિષ્ણુભાઈએ આજની કવિતામાં સ્વરૂપ અને તેમાં પ્રતીત થતા શ્રદ્ધાના અભાવનો નિર્દેશ કર્યો હતે. શ્રી વિષષ્ણુભાઈએ ચર્ચેલા મુદ્દાઓ એવા મહત્વના હતા અને તેમણે વ્યક્ત કરેલાં મંતવ્ય એવાં વિચારદ્વીપક હતાં કે ચર્ચાત્મક આઘાત–પ્રત્યાઘાતની પરંપરા તેમાંથી જન્મે તેવી અપેક્ષા સેવી શકાય. પણ એક માત્ર શ્રી ઉમાશંકર જોશીએ શ્રી વિષણુભાઈએ રજૂ કરેલા મુદ્દાઓનું સોદાહરણ નિરૂપણ કરીને પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું તે સિવાય આ ચર્ચામાં ભાગ્યે જ કોઈ મહત્વનું ચર્ચાત્મક અર્પણ થયું હતું. આપણે જે વિવેચકોએ મૌન સેવ્યું ન હતું તેમણે શ્રી ઉમાશંકર પણ સાચા છે અને શ્રી વિષ્ણુભાઈ પણ કેટલેક અંશે ખોટા નથી એવી દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની સલામત પ્રવૃત્તિને જ આશ્રય લીધો હતો. આમ ઘરઆંગણે ઉપસ્થિત થયેલી મહત્વની ચર્ચા તરફ દુર્લક્ષ કે ઉદાસીનતા સેવાતી હોય ત્યાં ઈતર દેશમાં કલા અને સાહિત્ય વિશે રજૂ કરાતા અવનવા અભિપ્રાય કે વિચારો આપણે માટે હસ્તીમાં જ ન હોય એવા બની જાય. ઉદાહરણ તરીકે, ઈન્ટર નેશનલ કાઉન્સીલ ફેર ફિલેફી એન્ડ હ્યુમનિસ્ટીક સ્ટડીઝના ત્રિમાસિક મુખપત્ર “ડાયોજિનસ તરફથી યોજાયેલી સ્પર્ધામાં અપૂર્વ વિચારસરણી અને માંડણી માટે પારિતોષિક મેળવનાર ડૉ. લાડીમીર વાઈડેલના “કલાનું જીવનશાસ્ત્ર” નામના લેખમાં કરાયેલી કલાની મીમાંસાથી આપણે અજાણ જેવા છીએ.
અને આપણું આજનું વિવેચન અવિશિષ્ટ જ પ્રકારનું રહ્યું છે. પ્રાચીનકાળમાં જેમ રસસંપ્રદાય, ધ્વનિસંપ્રદાય વગેરે વિવેચનના સંપ્રદાયા હતા તેવાં. વ્યાવર્તક લક્ષણોવાળા કે અમુક દષ્ટિબિંદુને પ્રાધાન્ય આપી, પ્રવૃત્તિ કરતા વિવેચન સંપ્રદાયો આપણે ત્યાં નથી. એક અંગ્રેજ વિવેચકે વિવેચનના ચાર પ્રકાર ગણાવ્યા છે. પહેલો ઈમીગેટીવ–અનુકૃતિદર્શ—આ પ્રકારના વિવેચનમાં કાવ્યકૃતિ મૂળને અથવા પ્રકૃતિને યથાવત્ પ્રતિબિંબિત કરી શકી છે કે કેમ તેની પરીક્ષા