SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષર વ્યક્તિ સ્વાતંત્ર્ય જોખમમાં મુકાયું. પ્રગતિવાદની દષ્ટિએ તે જે કળા કે સાહિત્ય પ્રજાજીવન સાથે સંકળાયેલાં ન હોય અથવા તો અમુક સામાજિક, રાજકીય કે આર્થિક થેનું સમર્થન ન કરે તે કલાકે સાહિત્ય નિરર્થક છે. પશ્ચિમમાં પ્રચાર પામેલા આ વિચાર–આંદોલનનો આપણે ત્યાં પણ પડ પડ્યો હતો. સ્વાતંત્ર્ય માટે આપણા રાષ્ટ્રના પ્રચંડ ઉત્થાનનું સાહિત્યમાં સ્વાભાવિક રીતે જ ઘેરું પ્રતિબિંબ પડવાથી વિવેચનની દૃષ્ટિએ “પ્રગતિવાદને આમ અનાયાસે લાક્ષણિક રીતે સ્વીકાર થયો હોવા છતાં એટલું તો સ્પષ્ટ છે કે આપણા વિવેચને “ પ્રગતિવાદને ગાડે બેસી જવાનું ચાગ્ય ધાયુ નથી-કલાકારનું વ્યક્તિ સ્વાતંત્ર્ય સ્વીકાર્યું છે એનાં વિલક્ષણ દેખાતાં હતાં નોંધપાત્ર ઉદાહરણે અસ્તિત્વમાં છે. આ યુગમાં બળવંતરાય ઠાકોર ઉપરાંત રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ, વિશ્વનાથ ભટ્ટ, વિજયરાય વૈદ્ય વગેરેની વિવેચનપ્રવૃતિ સામાન્ય ગ્રંથાવાલેકન ઉપરાંત કાવ્યસ્વરૂપ-મીમાંસા. અને સિદ્ધાંતચર્ચાનું કાર્ય પણ કરતી દેખાય છે. પ્રગતિવાદ, સાધારણીકરણ, વનિકાવ્ય, કાવ્યસૌદર્ય, રસમીમાંસા જેવા પ્રાચીન અને અર્વાચીન વિષયોની છણાવટ થતી રહી છે. ઉમાશંકર જોશી, સુંદરમ અને અનંતરાય રાવળનો નામનિર્દેશ કરીએ એટલે આજ સુધીની વિવેચનપ્રવૃત્તિ સુધી આપણે આવી પહોંચ્યા એમ માની શકાય. આજે વિવેચનપ્રવૃત્તિ વિપુલ પ્રમાણમાં થાય છે. પંડિતયુગની પેઠે સાહિત્યની સ્વા કરનારાં સામયિકે આજે પણ ગ્રંથાવલોકન દ્વારા અને લેખો દ્વારા વિવેચનકાર્યમાં સહાય આપી રહ્યાં છે. રેડિયો ઉપરાંત દૈનિકે પણ સાહિત્યમાં રસ લેતાં થયાં છે. સપ્તાહમાં એક વાર સાહિત્યવિભાગ પ્રકાશિત કરવાની પ્રથા લગભગ સર્વત્ર સ્વીકારાઈ છે. આમ વિવેચન જનતા સુધી પહોંચે અને તેની સાહિત્યની સૂઝ કેળવવામાં સહાયભૂત થાય એવી પરિસ્થિતિ છે. પણ પરિણામની દૃષ્ટિએ વિપુલ લાગતું વિવેચનસાહિત્ય મોટે ભાગે ગ્રંથના
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy