________________
અર્વાચીન ગુજરાતી વિવેચન અને આજની કવિતારીતિનો ચીલો પાડી આપ્યો. વિચારપ્રધાન કે અર્થ. પ્રધાન કવિતા, “પૃથ્વીની અગત્ય અને પ્રવાહિતા, લિરિકનું સ્વરૂપ, અવનવા લયને અનુસરીને નવા છંદોબદ્ધ અને ગાંધીયુગની નવી કવિતાનાં સ્વરૂપ અને લક્ષણોની મીમાંસા–આ વિષયોનું નિરૂપણ ઠાકરનું વિવેચનક્ષેત્રે પ્રધાન અર્પણ ગણાય આ યુગના વિવેચનમાં પાંડિત્ય, નિષ્ઠા, વિચારશીલતા, સ્પષ્ટવકતૃત્વ અને કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતનાં ચિકિત્સા અને પરિશોધનની વૃત્તિ-આ લક્ષણે આગળ તરી આવે છે. પ્રાચીન અને અર્વાચીન કાવ્ય-પ્રણાલીના સંઘર્ષને અંત તે અર્વાચીન પાશ્વત્ય પ્રણાલી તરફ નમતો હતો ઠાકર જેવા વિવેચક એ પ્રણાલીનું એટલે કે સર્જકના સ્વાતંત્ર્યને સ્વીકાર, સર્જનક્રિયામાં સર્જકના સંવેદનનું મહત્વ, વિષયો અને દાની બાબતમાં કાવ્યર્થની અભિવ્યક્તિની અનુકુળતાનો નિર્ણાયક તત્વ તરીકે રવીકાર, ભાષા અને શૈલીનું અર્થને સમુચિત આયેાજન વગેરે મુદ્દાઓનું સ્પષ્ટ સમર્થન નજરે આવે છે. પણ આ બધાં લક્ષણો તે ગાંધીયુગના માનસનાં લક્ષણ છે.
૧૯૨૦ પછી ગાંધીજીનો પ્રભાવ રાષ્ટ્ર ઉપર પડવા માંડ્યો અને ત્યાર પછીનું પ્રજા વન અને સાહિત્ય ગાંધીજીની વિચારસરણીથી અને જીવનદષ્ટિથી રંગાતું રહ્યું. આ જ સમયમાં પાશ્ચાત્ય સાહિત્ય અને વિચાસરણીનો સંપર્ક વિપુલ અને ગાઢ બનતો ચાલ્ય. સમાજવાદ અને સામ્યવદની ભાવનાએ આપણી ગાંધીવાદી ભાવનાઓ સાથે પ્રજામાનસમાં ઝીલાવા લાગી. ગાંધીજીની સામાજિક અને આર્થિક વિષમતાઓની મીમાંસાએ અને મનોવિજ્ઞાનશાસ્ત્ર કળા અને નીતિના પ્રશ્નને જુદી જ રીતે નિરૂપવાની ફરજ પાડી. આ ગાળામાં વિવેચનક્ષેત્રે મહત્ત્વને પ્રશ્ન બન્યો કળાકારના સ્વાતંત્ર્ય. સાહિત્ય સમાજસેવા કરી શકે એમ તો પ્રાચીન કાળથી સ્વીકારતું આવ્યું છે. પણ રશિયાની સામ્યવાદી વિચારસરણીએ કળા અને સાહિત્યમાં પ્રગતિવાદને જન્મ આપ્યો અને અત્યાર સુધી સ્વીકારાયેલું કલાકારનું