________________
૬૮ .
અક્ષર નરસિંહરાવ, આનંદશંકર, કેશવ હર્ષદ ધ્રુવ, બળવંતરાય ઠાકોર વગેરે પંડિતેની વિવેચનપ્રવૃત્તિ સમગ્ર દષ્ટિએ જોતાં સર્જન-પ્રવૃત્તિનું આમૂલાગ્ર અને સાંગોપાંગ આકલન કરતી નજરે આવે છે. કલાનું સ્વરૂપ અને પ્રકારો, કાવ્યસૌંદર્ય, ઉત્તમ કાવ્યનું સ્વરૂપ, રસ, દવનિ, ગુણ, રીતિ અને અલંકારો, કાવ્ય અને છંદ, શિલીવિચાર, કાવ્યપ્રકાર, લિરિકનું સ્વરૂપ, સોનેટનું સ્વરૂપ, સળગ કે પ્રવાહી પદ્યરચના, અપદ્યાગદ્યનું સ્વરૂપ વગેરે અનેક પ્રાચીન–અર્વાચીન પ્રશ્નોની ચર્ચા આ યુગના વિવેચકોએ કરી છે. રમણભાઈ નીલકંઠનું રચિતંત્ર પાશ્ચાત્ય પ્રણાલી તરફ પક્ષપાતવાળું એટલે પ્રાચીન ભારતીય અને અર્વાચીન પાશ્ચાત્ય કાવ્યપ્રણાલીઓના ગુણ-તારતમ્યના પ્રશ્નનું નિરાકરણ કરતાં તેમને પાશ્ચાત્ય કાવ્યપ્રણાલી વધારે સ્વીકાર્ય લાગતી. મણિલાલ દ્વિવેદી ભારતીય પ્રણાલીના પક્ષપાતી હતા તેથી સ્વાભાવિક રીતે જ અને આનંદશંકરે કહ્યું છે તેમ અંતઃસૌન્દર્ય તરફના આકર્ષણને લીધે પાશ્ચાત્ય કાવ્યરીતિ અને આસ્વાદન–શૈલી તરફ મત્સાહ રહેતા. ૧૮૮૭માં નરસિંહરાવને પ્રથમ કાવ્યસંગ્રહ “કુસુમમાળા' પ્રકાશિત થયા ત્યારે રમણભાઈ અને મણિલાલ ઉપર તેના વિરોધી છતાં લાક્ષણિક પ્રત્યાઘાત પડેલા એ તે સર્વવિદિત છે આનંદશંકરની દષ્ટિ ઇતિહાસનિષ્ઠ અને તારતમ્યનિષ્ઠ હોવા ઉપરાંત સમન્વયલક્ષી હતી. વિવેચનમાં પણ તેમણે આ જ દષ્ટિ અપનાવી છે. કાવ્યશાસ્ત્રના ફૂટ મુદ્દાઓ સમર્થ રીતે નિરૂપ્યા છે અને પર્વ અને પશ્ચિમની કાવ્યપ્રણાલીને સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો છે. બળવંતરાય ઠાકોર પડતયુગના પણ ખરા અને અનુગામી અસ્મકાલીન યુગના પણ ખરા. એ પ્રયોગશીલ વૃદ્ધ “યુવાનનું માનસ રમણભાઈ કરતાં પણ વધારે અર્વાચીન હતુ-કાવ્યભાવના પાશ્ચાત્ય લઢણે ઘડાઈ હતી. ૧૮૯૦ પછીના બે-ત્રણ દાયકાઓમાં જે ઊર્મિલતા. અને આડંબરી ભાવનાશીલતાનાં તો પ્રવેશ્યાં હતાં તેનો સબળ વિરોધ કરીને ઠાકોરે કાવ્યનાં આત્મા અને શરીરની મીમાંસા કરી