________________
' અર્વાચીન ગુજરાતી વિવેચન
કોઈપણ પ્રવૃત્તિને સો વર્ષના ગાળા પછી પિતાને ઈતિહાસ આલેખવાને અધિકાર પ્રાપ્ત થતો હોય તે ગુજરાતી સાહિત્યનાં બીજે કેટલાંક સ્વરૂપોની પેઠે “વિવેચન ને એ અધિકાર પ્રાપ્ત થયો છે. આપણી સાહિત્ય-વિવેચનની પ્રવૃત્તિનો આરંભ પાશ્ચાત્ય સાહિત્યનાં પરિશીલન અને પ્રેરણાથી જ થયો હતો એમ માનવું જોઈએ. આરંભદિશામાં સ્વાભાવિક રીતે જ કેટલીક મર્યાદાઓ રહી હોય છે. તેમાંયે નર્મદ જેવા ઉત્સાહી અને ઉલ્લાસી વ્યક્તિ કાવ્યભાવના અને કાવ્યસૌંદર્યની મીમાંસા કરવા માંડે ત્યારે તેમાં ડહેળાણ નજરે આવે એ દેખીતું છે નવલરામ પંડ્યા જેવા સહદય અને સમતોલ વિવેચકની વિવેચન-પ્રવૃત્તિ પાશ્ચાત્ય સાહિત્યને પુરતા પરિચયને અભાવે મર્યાદિત બનતી દેખાય એ પણ નવાઈ જેવું નથી. નર્મદ અને નવલરામે પોતપોતાની રીતે વિવેચનક્ષેત્રમાં પ્રથમ પ્રસ્થાન કર્યું એ જ એમનું અર્પણ ગણાવા ગ્ય છે.
પણ, વિવેચન-પ્રવૃત્તિ જેને આપણે પંડિત-યુગ તરીકે ઓળખાવીએ છીએ તે યુગમાં ખૂબ ફૂલીફાલી. મુંબઈ વિદ્યાપીઠમાં અંગ્રેજી સાહિત્ય અને વિવેચનના પરિશીલનથી પ્રેરાયેલા સ્નાતકે જીવનમાં અને સાહિત્યમાં અભિનવ પ્રસ્થાન આદરવા ઉત્સુક બને અને પાશ્ચાત્ય કાવ્યભાવના અને અભિવ્યક્તિની પદ્ધતિને અનુસરીને સર્જન તેમ જ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરવા પ્રેરાય એ સ્વાભાવિક છે. પણ આ ક્ષેત્રમાં આપણું બે હજાર વર્ષ જૂની ભારતીય પ્રણાલીને સંઘર્ષ ઉત્પન્ન થાય એ દેખીતુ છે. આ સંઘર્ષનું નિરાકરણ કરવાનું ભગીરથ કર્તવ્ય આ યુગના પ્રતિનિધિઓના ધ્યાન બહાર નહેતું. તેથી જ ગોવર્ધનરામ, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ