SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષરા કાવ્યકૃતિના બહિરંગ વિશે એટલે શબ્દ, શબ્દાર્થ, છંદ, પ્રાસ વગેરે વિશે તો વિવેચકની વૃત્તિ વસ્તુનિષ્ઠ રહેશે, કાવ્યકૃતિના સ્વદેશપ્રેમ કે ભત્રી કે સમર્પણ કે પ્રેમ જેવા વિષયની બાબતમાં પણ વસ્તુનિષ્ઠતા . જ રહેશે. આટલે સુધી તે કાવ્યકૃતિનું નિરૂપણ વિચારન-બુદ્ધિને વિષય રહે છે. અને તેથી આ બહિરંગ વિશે શાસ્ત્ર-વિવેચનશાસ્ત્ર અથવા કાવ્યશાસ્ત્ર શક્ય બને છે. પણ વિવેચનનું કર્તવ્ય આ બહિરંગના નિરૂપણમાં જ પરિસમાપ્ત થતું નથી. કાવ્યકૃતિ માત્ર વાંચવા માટે કે અર્થ સમજવા માટે હોતી નથી-માણવા માટે, અસ્વાદવા માટે હોય છે. આ આસ્વાદન વિવેચકને ભોક્તા બનાવે છે. કાવ્યકૃતિમાં નિરૂપાયેલા વિચાર, ભાવ કે કલ્પનાનું સૌદર્ય બહિરંગનું સૌન્દર્ય અને કૃતિના હાર્દની સાથે બહિરંગોના સંબંધનું સૌન્દર્ય સહૃદય વાંચનાર એટલે વિવેચક આસ્વાદવા પ્રયત્ન કરે છે. અને અન્તસ્તત્વ અને બહિરંગો દ્વારા થયેલી તેની અભિવ્યક્તિને સુંદર-સુંદર ઉચિત-અનુચિત વચ્ચેની તારતમ્યની અનેક કોટિએ મૂલવે છે. આ મૂલવણીમાં પણ કેટલેક અંશે વસ્તુનિષ્ઠતા અથવા સર્વગ્રાહિતાને અંશ પ્રવેશે છે. પણ જેમ કોઈ વ્યક્તિના શરીરનાં અંગોપાંગેનું અને તેમના સંબંધો અને ક્રિયાઓનું નિરૂપણ એ સૌમાં અભિવ્યાપ્ત ચેતનતત્વના દર્શન વિના અધૂરું અને ગૌણ રહે તેમ કવિને અભિપ્રેત કાવ્યના હાર્દને સાક્ષાત્કાર વિવેચક ન કરે ત્યાં સુધી તેનું વિવેચન પણ અધૂરું અને ગૌણ રહે. આ સાક્ષાત્કાર વૈયકિતક છે અને અધિકાર ઉપર અવલંબે છે. આ કારણે જ વિવેચન જાતે શાસ્ત્ર નથી એમ આપણે ઉપર કહ્યું. કાવ્યકૃતિના હાર્દને અને સમગ્ર કૃતિનો આસ્વાદ પામેલો વિવેચક તેની અભિવ્યક્તિ કે રજૂઆત માટે શાસ્ત્રીય પ્રકારની કે કલાનું રંગવૈવિધ્ય ધારણ કરતી શૈલી અપનાવે એ જુદો જ પ્રશ્ન છે. (સંસ્કૃતિ, ફેબ્રુઆરી ૧૯૬૦)
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy