SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચનમાં સર્વગ્રાહિતા અને આત્મલક્ષિતા વિવેચન એટલે કલાવિવેચન, વિશેષતઃ સાહિત્ય-વિવેચન. વિવેચનનું શાસ્ત્ર હોઈ શકે અને છે, પણ વિવેચન જાતે શાસ્ત્ર નથી. શાસ્ત્ર-બુદ્ધિનો-વિચાર-વિષય છે અને વસ્તુનિષ્ઠ (objective) છે, તેથી તેનાં વિધાનોમાં વિરોધને અવકાશ નથી. જે કઈ સ્થળે વિરોધ નજરે આવે છે તેનું મૂળ બુદ્ધિ દ્વારા શોધી કાઢવું શક્ય છે. વિવેચન પણ જે માત્ર વસ્તુનિષ્ઠ (સર્વગ્રાહી) હેત તો ૧૮૮૭માં કુસુમમાળા” વિશે મણિલાલ દ્વિવેદી અને રમણભાઈ નીલકંઠ જેવા સનિષ્ઠ વિવેચકે વચ્ચે મતભેદ સંભવત નહિ. એક જ સાહિત્યકૃતિ વિશે વિવેચકો વચ્ચે નજરે આવતા સંનિષ્ઠ મતભેદનું મૂળ રચિભેદમાં રહ્યું છે અને રુચિ, બુદ્ધિ કે વિચારનું મૂળ નથી–મનની પ્રક્રિયા નથી, એ વ્યક્તિનાં ભાવ, ભાવના અને સંસ્કારોથી ઘડાય છે-અને પ્રધાનપણે હદયની પ્રક્રિયા છે. રૂચિ આમ કેવળ સ્વલક્ષી અને વૈયક્તિક હોવાથી Taxહa : એ નિરાકરણ આપણે સ્વીકારીએ છીએ. વિવેચક સર્જક કહેવાય કે કેમ એ પ્રશ્ન આપણે ' ત્યાં આજથી ત્રીસેક વર્ષ પહેલાં સારી પેઠે ચર્ચાયો હતો. એ ચર્ચાનું બીજ સાચી રીતે તો આ રૂચિમાં રહેલું છે. - વિવેચક સર્જક જેટલે સ્વતંત્ર નથી એ દેખીતું છે. વિવેચનના વિષય તરીકે સ્વીકારેલી કૃતિને અનુલક્ષીને જ તેણે પ્રવૃત્તિ કરવાની &ય છે. પ્રા. મટનને એક વેળા બહુ ચર્ચાયેલો “વિવેચન કેવળ Inductive હોવું જોઈએ. એ મત ન સ્વીકારીએ તે પણ અ. ૫
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy