SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષણ અહીં એક પ્રશ્નનો નિર્દેશ કરીએ. કાવ્ય જે કવિચિત્તમાં જન્મતું હોય અને કવિના વ્યક્તિત્વની અખિલાઈ (subjective totality ) જ કાવ્યમાં તાણાવાણારૂપે વણાતી હોય તે કવિએ બાહ્ય જગત-સમાજ, સંસ્થાઓ, પ્રકૃતિ વગેરે ઉપર આધાર રાખવાની જરૂર નથી : બાહ્ય પરિસ્થિતિથી અલિપ્ત રહી તે કાવ્યરચના કરી શકે અને તેની કાવ્યરચના કાવ્ય તરીકે જરા યે ઊણું ન હોય. આ પ્રશ્નને વિચાર કરીએ ત્યારે કવિની subjectivity, તેનું અંતરંગ અને તે અંતરંગના સ્વરૂપનો અને બંધારણને વિચાર કરે આવશ્યક બને. કવિકર્મનું છેલ્લું સોપાન છે ભાવપ્રતીકો દ્વારા આકૃતિ કે રૂપ પામેલા સંવેદનને શબ્દદેહે વ્યક્ત કરવું તે. શબ્દ, છંદ, લય, અલંકાર બધું જ “આપમેળે” બની આવવું જોઈએ. કેવળ અલંકાર જ નહીં પણ આકાર, છંદ, લય, શબ્દ, શૈલી પણ કર્ણનાં કુંડળ અને કવચની પેઠે –ઝ હેવાં જોઈએ. કવિએ શબ્દનો આશ્રય લેવાને છે અને શબ્દ અર્થ સાથે સંપૂકત છે-અવિનાભાવ સંબંધથી જોડાયેલો છે. એટલે કાવ્યમાં અર્થનું પણ ગૌરવ છે. આ અતિસ્પષ્ટ લાગતું વિધાન આજે કાવ્ય પર વિવાદાસ્પદ બની ગયું છે. કાવ્ય અનુભવવાનું છે-આસ્વાદવાનું છે, સમજવાનું નથી એ વાદ અત્યંત પરિચિત છે. તેની દષ્ટિએ અર્થ કાવ્યાસ્વાદમાં અંતરાયરૂપ છે, કેવળ શબ્દ દ્વારા રચાતી આકૃતિ કાવ્યને અભિવ્યક્ત કરી શકે. આ કે આવા અન્ય અર્વાચીન વાદનો ઉલ્લેખ ઉમાશંકરે કર્યો નથી કારણ કે આ નિબંધમાં કવિની સાધનાને રાજમાર્ગ દર્શાવવાને તેમને હેતુ હોય એમ જોઈ શકાય છે.
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy