________________
કવિની સાધના શ્રી ઉમાશંકર કાવ્યવિવેચક છે તેની સાથે કાવ્યસર્જક પણ છે. તેથી અન્ય સામાન્ય વિવેચક કરતાં કાવ્યવિવેચનની બાબતમાં તે વધારે અનુકૂળ પરિસ્થિતિમાં છે. કેવળ કાવ્યવિવેચક હોય તે તે કાવ્યનિર્માણમાં ચાલી રહેલી પ્રક્રિયા વિશે અનુમાનો કે ઉલ્ટેક્ષાઓ જ કરતા હોય છે. ઉમાશંકર જેવા સર્જક-વિવેચકને કાવ્યસર્જન પ્રક્રિયાને સાક્ષાત અનુભવ હોવાથી તેણે કવિસાધનાનું કરેલું નિરૂપણ વધારે વિશ્વસનીય ગણાય.
પ્રસ્તુત નિબંધમાં ઉમાશંકરે કાવ્યસર્જન વ્યાપારમાં ત્રણ સોપાન ગણાવ્યાં છે: (૧) કવિ જગતના પદાર્થોનું વિશેષભાવે ગ્રહણ કરે છે; (૨) કવિની ચેતનામાં સંચિત થયેલી એ સામગ્રીનું કઈક પ્રક્રિયાથી રૂપ બંધાય છે, અને (૩) એ રૂપને કવિયથાતથ શબ્દસ્થ કરવા મથે છે. શબ્દદેહ પામેલી કવિની અનુભૂતિ ભાવક સમક્ષ રજૂ થાય છે અને ભાવક તેને આસ્વાદે છે. જેમ સર્જકની પ્રતિભા દ્વારા તેના વૈયક્તિક બાહ્ય અનુભવનું સાધારણીકરણ થાય છે અને તેથી એ અનુભૂતિને વ્યક્ત કરતી કૃતિ સર્જકના “અહમ્ 'માંથી મુક્ત થઈ હોય છે તેમ ભાવક પણ કાવ્યરસાસ્વાદના અનુભવથી “અહમથી મુક્ત થાય છે: “એનું “સત્ ' (અસ્તિત્વ) ‘ચિત્' રૂપે ખીલી પોતાનું ચરમ સ્વરૂપ-સાગર સ્વરૂપ અનુભવે છે.-સ્વરૂપાનુસંધાન અનુભવે છે. કાવ્યાસ્વાદમાં સતત્ત્વનું મહત્ત્વ અને તેનાથી થતી સ્વરૂપાનુસંધાનની અનુભૂતિ-આ અંશે ભારતીય કાવ્યશાસ્ત્રની પરંપરાને અનુસરીને સ્વીકારાયા છે તે સ્પષ્ટ છે.
આગળ ચાલતાં ઉમાશંકરે નીતિ અને કળાના સંબંધના પ્રશ્નનો ઉલ્લેખ કર્યો છે. પહેલાં તે, સિદ્ધાંતની દષ્ટિએ તે પ્રશ્ન કરે