________________
અક્ષર પેટાળમાંથી નીકળે છે તેનું વિનોદી શૈલીમાં વિવરણ કરતાં કહે છે કે સેનું ભગવાન પાસે ગયું અને પિતાના ગુણા જ પોતાના મારક થયા છે એની ફરિયાદ કરીને સહાયની યાચના કરી. કિરીટકુંડળધારી હિરણ્યવપુ જવાબ શે આપે ? એટલે એનું ધરતીમાતા પાસે જઈ બોલ્યું: “ભગવતિ વસુધરે, દેહિ મે વિવરમ” (૨ખ. આ. પૃ. ૫૧) કેવી વિવેદી શૈલી અને કેવી વિચિત્ર છતાં ઔચિત્યવાળે ભાસત નિરાધાર શકુંતલાના વાક્યને પ્રયોગ ! છેલ્લે, રેતીના ઢગલામાં સાઈનાઈડ નાખીને પ્રવાહી બનાવી દઈને પછી જસતનાં પાતળાં છેલણ ઉપર રેડે છે અને “કમજાત સાઈનાઈડને જસત મળે છે એ તરત સેનું છોડી દઈ જસતને વળગે છે.......સાઈનાઈડ કહેશે જસતની ખૂબી તમે શું જાણે છે એની આગળ સોનાને સહવાસ ફૂલ છે. ખરેખર તન તારા વિના સૂચ્ચે જે દિ થયા વિના (૨. આ. પૃ. ૪૮ ) આ છેલ્લું અવતરણ તો પ્રાચીન વાક્યના પ્રયોગની વિનદી શેલીનું અને વક્રતાનું ઉત્તમ ઉદાહરણ છે. ભવભૂતિએ પિતે પતંગ અને પુંડરીકનું તેમજ હિમરશ્મિ અને ચંદ્રકાન્તનુંએવાં ઉદાહરણો જ આપ્યાં છે ને? તે સાઈનાઈડ અને જસતને શું વાંક ? - કાકાસાહેબના લેખમાં અવતરણો અવતાર માત્ર ન રહેતાં વિભૂતિરૂપ બની રહે છે. (કાકા કાલેલકર અધ્યયન ગ્રંથ)