SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ભારેલું સંસ્કૃત મને મંથન જેવું જ મનોમંથન સમર્થ રીતે સૂચવે છે. ખરું કહીએ તે, ભગવદ્ગીતાનાં વચન કે પદોના પ્રયોગો તે આ લેખમાં કામ ઠામ નજરે આવે છે. મોટે ભાગે અવતરણરૂપે પણ કોઈ વાર પ્રચ્છન્ન રૂપે પણ. “ધર્મના એટલે કે સદાચારના પાયા ઉપર શ્રદ્ધયુક્ત રચાયેલી કળા રસગંભીર હોય છે, પ્રાણપોષક હોય છે, અનંતવીર્ય અને અમિતવિક્રમ હોય છે. (જ. આ. પૃ. ૨૨૫) સાવધાન ને હોઈએ તે અહીં ગીતાના અગિયારમા અધ્યાયના નત્તરીયમતવિમરવમ્' વાક્યનું સ્મરણ ન પણ થાય. ભાવનગરના ગૌરીશંકર તળાવનું વર્ણન કરતાં કહે છે, “સામેની ટેકરીએ માથું ઊંચું ન કર્યું હોત તો આ રસવતી પૃથવી ક્યાં પૂરી થાય છે અને નિઃશબ્દ આકાશ ક્યાં શરૂ થાય છે એ જાણવું કે પંડિતને પણ અઘરું થઈ પડત. (રખ. આ. પૃ. ૧૩) આ સુંદર ચિત્રને જન્ધયતી પૃથ્વી અને શળ સામ્ એવી વ્યાખ્યાઓમાં રાચતે તૈયાયિક તે ન જ સમજી શક્યો હોત ! કાકાસાહેબે આવા પ્રાચીન ઉલ્લેખ વિનેદી શૈલીમાં અને કટાક્ષ પૂર્વક પણ કર્યા છે. આ ઉલેખોમાં અનાખી તાજગી અનુભવાય છે. “કોયલનું અસહાય બચ્ચું પકડીને તેને ખાઈ નાખનારો કોઈ ગાયનકલારસિક શિકાર પણ અહીં જેલમાં હેવાને સંભવ નથી.” (જી. આ પૃ પર ). મૃછકટિકના શિકારની મૂર્ખાઈ અને બડાશનો કે વિનદી ઉલ્લેખ ! એ જ લેખમાં “ પક્ષીઓનાં સ્મૃતિશાસ્ત્રોમાં કેયલનું માંસ કયાં કયાં પક્ષીઓને ખપે.” ઋત્તિઓમાં ભણ્યાભઢ્યના વિષયમાં કરાયેલા વિધિનિષેધો ઉપર નિર્દેશ કટાક્ષ અહી જોઈ શકાય છે. કેલરની ખાણોમાંની રેતીમાંથી સેનું કાઢી લીધા પછી રેતી કશા કામમાં આવતી નથી. “બિચારી રેતી પોતાના ઉપયોગ કરનાર ભવિષ્યના માનવીની રાહ જોતી અહીં શલ્યા થયેલી અહલ્યાની પેઠે તપસ્યા કરે છે.” (રખ. આ. પૃ. ૪૭) કટલે હળવે અને કેટલે સ્વાભાવિક લાગતો અહલ્યાને ઉલ્લેખ છે ! સોનું ધરતીના
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy