________________
૫૬
અક્ષર | (જીવનલીલા પૃ. ૮)માં “પટ-વર્ધન” બાણનું સ્મરણ કરાવે તે
શ્લેષ બુદ્ધિચાતુર્યથી વાપરે છે એ ખરું, છતાં પ્રધાનપણે એમની કલ્પના આવા કેવળ શુષ્ક ઉલ્લેખોથી દૂર રહેતી દેખાય છે. સંધ્યા સમયે પશ્ચિમના રંગવૈભવને જરાયે દ્વેષ ન કરતી પ્રાચીને અનસૂયા'. જેવું અભિજાત વિશેષણ આપવું (જી. આ પૃ. ૩૦ ), મદ્રાસ પાસે અષાર નદી “સમુદ્ર તરફ હદયસમૃદ્ધિનો કાંપ લઈ આવે છે અને સમુદ્ર ચિડાઈને એની આગળ રેતીને એક બાંધ ઊભો કરે છે. ખંડિતાનું એ દશ્ય..' (જીવનલીલા, જસ્થાન)–અહીં નદી માટે ખંડિતા નાયિકાની કલ્પના કરવી, કે મોજાઓનું તાંડવ અને તેને પ્રચંડ તાલ જોઈને શિવતાંડવ સ્તોત્રના પ્રમાણિક વૃત્તની કલ્પના કરવી–આવા ભાવપ્રધાન ઉલ્લેખો તો આ લેખોમાં ચોમેર વેરેલા પડ્યા છે.
કાકાસાહેબની શૈલીની સંસ્કારેધકતા (allusiveness)નાં કેટલાંક ઉદાહરણે આપણે જોયાં, પણ આ શૈલીને નિતાસુંદર ઉમેષ તે ભારોભાર કાવ્યતત્ત્વથી ભરેલું છે. સંધ્યાકાળે “ ક્ષિતિજ ઉપર (ચિત્રા અને સ્વાતિ) બંને એક વખતે ઊગતી હોય છે તો પણ ચિત્રાનાં પગલાં હળવાં અને અને દૂર દૂર પંડવાને કારણે તે ઝડપથી ઉપર ચડે છે, જ્યારે સ્વાતિ પોતાના તેજના ભારથી અલગમના લેય એ સ્વાભાવિક જ છે.” (જી. આ. પૃ. ૧૮) સ્વાતિનું આ વર્ણન વાંચતાં ક્યા સહૃદયને મેઘદૂતની છોળમાર વરસાના નાયિકા સ્મૃતિપટમાં નહિ ઊતરી આવે ? રાત્રે આકાશમાં વાદળાંઓથી તારાઓ ઢંકાઈ ગયા હોય ત્યારે “કુચિત પાતળા મેઘના ઝીણા બુરખામાંથી એકાદ તારકા સ્પષ્ટાસ્પષ્ટ લફલફ થવા માંડે ત્યારે આ અવગુંઠવતી વળી કોણ છે એવું કુતૂહલ ઉત્પન્ન થઈને...( જી. આ. પૃ. ૧૨) આ વર્ણન તપસ્વીઓની સાથે આવેલી શકુંતલાને જોતાં દુષ્યતના મેમાંથી - નીકળેલાં “અવિરપુટનવત વારા...” વચનોના સંસ્કાર જગાડે છે. દરિયાકાંઠે શંખલા વીણવા કે નહિ એ પ્રશ્નને રજૂ કરતા લેખનું શીર્ષક ૪થે જ ફેમમામઃ (જી. આ. ૧૮૦) અર્જુનના