________________
૫૩
ભારેલું સંસ્કૃત પદને પ્રયોગ કરીને કાકાસાહેબ આપણા ચિત્તમાં છેક વેદ સંહિતાના સંસ્કારો જગાડે છે. જીવનને આનંદ”ની પ્રસ્તાવનામાં જ વ્યાકરણશાસ્ત્રની “પરસ્મપદી”, “આત્મપદી ” વગેરે પરિભાષાને કે ધોતક વિનિયોગ સજનપ્રક્રિયાના ક્ષેત્ર પર કર્યો છે ! “હું તે હંમેશને છાત્રદેવ રહ્યો” (જી. આ. પૃ. ૧૭૯) આ “છાત્રદેવ” તૈત્તિરીયોપનિષદના “માતૃ મવા પિતૃ મવા” વગેરે અનુશાસનવાક્યોના ભણકાર સંભળાવે છે.
સંસ્કૃત સાહિત્યમાંથી અવતરણરૂપે અપાયેલા કે, શ્લોકાર્ધ, પદસમૂહો કે પદો આ સ ગ્રહોમાંના લેખોને વદિત બનાવવાની સાથે “ ” પણ કરે છે. અવતરણો (queations) ની બાબતમાં લેખકેના ત્રણ પ્રકાર ગણાવી શકાય. પહેલા પ્રકાર છે અવતરણ–મુગ્ધ લેખકને. આ પ્રકારનો લેખક જરૂર ન હોય તો પણ અવતરણ વિના સંતોષ પામતા નથી. કદાચ પાંડિત્ય-પ્રદર્શનની લાલસાથી કે પોતાની અશક્તિ કે મર્યાદાને ઢાંકી દેવાની વૃત્તિથી પણ અવતરણોને આશ્રય લેવાને એ પ્રેરતો હોય. એ લેખક દેખીતી રીતે જ પરોપજીવી છે બીજો પ્રકાર છે અવતરણપ્રિય લેખકને, આ પ્રકારને લેખક પોતાના વિચારોના નિરૂપણમાં કઈ અનુકૂળ પ્રતિષ્ઠિત વચન મળી જાય તે પોતાના વક્તવ્યના સમર્થન માટે અથવા સ્પષ્ટીકરણ માટે એ વચનને અવતરણ તરીકે ઉપયોગ કરે છે. અને ત્રીજો પ્રકાર છે અવતરણ–રસિક લેખકનો. આ પ્રકારના લેખકના વિચારો તથા નિરૂપણ વગેરે ? હવે ચણિત હોય છે. એને નિરૂપણમાં ઉપયોગમાં લેવાયેલાં અવતરણે પુરઇ પ્રતિષ્ઠા– રૂપનાં નથી હોતાં. લેખકના વિચારના સમગ્ર નિરૂપણમાં અવતરણો એકરસ–સમરસ થઈ રહે છે. જેમ ઉત્તમ કાવ્યમાં પ્રયોજાયેલા અલંકારે પૃન્નનિર્વાર્ય હોય છે તેમ અવતરણે પણ આ પ્રકારના લેખકની કૃતિમાં અકૃત્રિમ અને અનાગતુક રૂપ ધારણ કરે છે અને કૃતિની