SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ભારેલું સંસ્કૃત કાકા કાલેલકરે કાવ્યરચના કરી હોય કે ન કરી હોય તે પણ તેને જીવ કવિનો જીવ છે. કવિની પ્રતિભા પિતાના વિષયને અનેક રીતે અને અનેક રૂપે જોઈ શકે છે-સાદશ્ય ન હોય એવી વસ્તુઓમાં પણ સાદસ્ય જોઈ શકે છે. આને પરિણામે કવિના દર્શનમાં સમૃદ્ધિ અને સમગ્રતા આવે છે. “જીવનનો આનંદ”, “રખડવાનો આનંદ', “જીવનલીલા', “ હિમાલયનો પ્રવાસ' વગેરેમાં સંગ્રહાયેલા લેખમાં દર્શનની આવી સમૃદ્ધિ અને સમગ્રતા પ્રતીત થાય છે. કેટલાયે લેખો ગદ્ય-કાવ્ય બની રહે છે. આ લલિતાદાત્ત નિબંધ, નોંધો અને નિબધિકાઓમાં રમ્ય કલ્પનાશીલા સાથે સંસ્કૃત સાહિત્યની સૌરભ મહેકે છે. કાકાસાહેબને સંસકૃત સાહિત્ય - વૈદિક સંહિતા, ઉપનિષદો, રામાયણ, મહાભારત, પુરાણ, મનુસ્મૃતિ, કાવ્યો નાટક, સ્તોત્રો વગેરેને પરિચય વિશાળ ફલકવાળો છે. એ પરિચય એમણે એ. આત્મસાત કર્યો છે કે તે કલ્પવૃક્ષની પેઠે ફળતો રહે છે. ગમે તે વિષય હાય, ગમે તે પ્રસંગ હોય કે ગમે તે દૃષ્ટિકોણ હોય, કાકાસાહેબનું સંસ્કૃત ત્રિવત્વ આ નિબંધમાં વકુવા વિધતા મુમ્ ” ફરી ઊઠે છે. . સાધારણ રીતે પ્રવાસવર્ણન કરનાર લેખક પિતે જોયેલાં સ્થાનની વિશિષ્ટતા કે મહત્તાને મૂલવવા જતાં તે તે સ્થાનોના ભૂતકાળને યાદ કરવાનો. કાકાસાહેબમાં “ભમતા રામ” અને “રમતા રામને સુભગ સમન્વય થયો છે. હિમાલયનો પ્રવાસ', “રખડવાને આનંદ”, “જીવનલીલા” વગેરેમાં પ્રવાસવર્ણનના લેખો સંગ્રહાયા છે. * ભારતમાં ચારે ખૂણે પરિભ્રમણ કરતાં કાકાસાહેબે તીર્થક્ષેત્રો અને - કલાધામે, મંદિરો અને મસ્જિદ, નગર અને જીર્ણ અવશેષ, પર્વતો
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy