SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજીની આત્મકથા * આ સત્યનિષ્ઠામાંથી જ ગાંધીજીને બીજે એક ગુણ સાંપડશે છે અને એ છે વિવેક. આત્મકથામાં શું કહેવું ? શું ન કહેવું ? અથવા કઈ વસ્તુને ખાનગી ગણું ઢાંકી રાખવી અને કઈને પ્રકાશિત કરવી એ મહત્ત્વનો પ્રશ્ન થઈ પડે છે. કેટલાક આત્મકથાલેખકે પિતાની ચંચલ કે વિલાસી વૃત્તિઓનું કે એવી બીજી ઊણપોનું વર્ણન કરવામાં રાચે છે, કેમ જાણે સમજવા મથતા હોય કે “ભાઈ, અંતે તો આપણે સૌ આવા છીએ!' ગાંધીજીએ પોતાના બીકણપણને," શરમાળપણનો, કુટુંબના માણસો સાથે આગ્રહી વર્તનને ઉલ્લેખ કર્યો છે; પિતાના લગ્નજીવનના નિરૂપણમાં પણ નિખાલસતાને આશ્રય લીધો છે. પણ કઈ સ્થળે વિવેકની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. આ આમ.નિર્વ્યાજ સત્યનિષ્ઠા, ઔદાર્ય, તટસ્થતા, વિવેક, વિનમ્રતા, વગેરે અનેક ગુણોને લીધે ગાંધીજીની આત્મકથાને મતિક આત્મકથા કહી શકાય. યુરોપીય સાહિત્યમાં "confessions રૂપે મળી આવતી આત્મકથા સ્થળ અર્થમાં કે સૂક્ષ્મ અર્થમાં આધ્યાત્મિક ભૂમિકા ઉપર રચાઈ હોય છે. ગાંધીજીની આત્મકથા વિલક્ષણ પ્રકારના confession જેવી ગણી શકાય. ગાંધીજીએ પિતાના જીવનના પ્રયોગોને આધ્યાત્મિક કહી “આધ્યાત્મિક એટલે નૈતિક, ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ” એવું સમર્થન કર્યું છે. એટલે, “આત્મકથા' વસ્તુ પર અને આપણે નિરપેલાં લક્ષણો પરત્વે “નૈતિક” જ રહે છે. જીવનચરિત કે આત્મકથા ગમે તેટલી ઊંચી નૈતિક ભૂમિકાએ રચાયેલી હોય; એમાં કલાકૃતિ તરીકે સાહિત્યપ્રકાર તરીકે–તે પ્રધાન આકર્ષણ હોવું જોઈએ માનવ-નિરૂપણનું. બીજા સાહિત્યપ્રકારો કરતાં આ બંનેમાં તે માનવ તત્વનું પ્રાધાન્ય સવિશેષ હોવું જોઈએ. “સત્યના પ્રયોગ”નું વર્ણન કરવાના હેતુથી “આત્મકથાના પ્રકારનો
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy