SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ અક્ષા કે આજને પ્રભાવ એમાં ન રહેત, એ કૃત્રિમ અને તેથી અસહ્ય અની જાત. ધ્યેયલક્ષી કે ઉપદેશપ્રધાન સાહિત્યકૃતિ અળખામણી થઈ પડે છે એ અનુભવની વાત છે. પણ જીવનમાં જે દેવની આરાધના કરી દર્શન પામવાને અધિકાર મેળવવા એમણે પ્રયત્ન કયે છે એ જ દેવનાં દર્શન · આત્મકથા' દ્વારા વાચાને કરાવવાને પ્રયાસ એમણે કર્યાં છે. આથી આત્મકથા 'માં જુદા જુદા પ્રસંગનાં વણું નેામાં કે જુદી જુદી વ્યક્તિઓના ઉલ્લેખામાં કે આદરાયેલા અવનવા જીવનપ્રયાગામાં કેવળ બાહ્ય. નહિ પણુ· · સત્યના પ્રયાગ ’ તરીકે આન્તર એકસૂત્રતા આવે છે. નિષ્ઠા ા વાકયે વાકયે નીતરતી નજરે આવે છે. આત્મકથામાં સામાન્ય રીતે દુલ ભ એવા સમભાવી તટસ્થતાને ગુણ ગાંધીજીને પાતે સ્વીકારેલી આ વિલક્ષણ નિરૂપણુદષ્ટિને લીધે સુલભ થયા છે. માતા, પિતા, પત્ની વગેરે સ્વજનેાથી માંડી સામાજિક, રાજકીય ધધાદારી કે ધાર્મિક ક્ષેત્રામાં અનેકાનેક વ્યક્તિના પાતાને થયેલા પરિચયના નિરૂપણમાં આત્મનિરીક્ષણ અને આત્મશેાધનની વૃત્તિ સેવતા ગાંધીજી સામા પક્ષને સમભાવપૂર્વક સમજી ન્યાય અને ઔદાર્યની વૃત્તિ સેવતા રહ્યા છે. સત્યના ઉપાસકમાં અપેક્ષા રાખી શકાય તેવી તટસ્થતા પણ તેમણે કેળવી છે, એ તેા બાળપણના કેટલાક અનિષ્ટ અનુભવેાના યથાતથ નિરૂપણ ઉપરથી વરતાઈ આવે છે. માંસાહાર, વેશ્યાગૃહગમન જેવા અનુભવના નિરૂપણમાં સમાયેલી લાજશરમને એમણે સત્યનિષ્ઠાની આડે આવવા દીધી નથી. Voltaired. એક વચન છે કે ' We owe consideration to the living: to the dead we owe truth only. ' અન્ય વ્યક્તિઓના ઉલ્લેખામાં ગાંધીજીએ આવે! સમભાવ સાચવ્યા છે, પણ પેાતાના વિષયમાં ( Truth only ) કેવળ સત્યને જ વળગી રહ્યા છે. આપ આપવાને કે સુધારી મઠારીને ઠાવકા દેખાડવાના પ્રયત્ન કર્યા નથી. .
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy