________________
ગાંધીજીની આત્મકથા
કપ
તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રેત હોવાથી કથા એક જીવનવૃત્તાંત જેવી થઈ જશે એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગ જ નીતરી આવે તે એ કથાને હું પોતે નિર્દોષ ગણું. ગાંધીજી પોતાની આ પ્રતિજ્ઞા સાદ્યન્ત પાળી શક્યા છે. સામાન્ય સ્વરૂપના લેખકની જીવનયાત્રામાં થયેલા અવનવા. અનુભવોના પરંપરા કે સંકલના રૂપ આત્મકથા લખવાનો તેમનો આશય હોત તે આરંભનાં બે-ચાર પ્રકરણોની શી ગતિ થઈ હોત. એની તે કલ્પના કરવી રહે. એટલું જ નહિ, એમના સ્વભાવના એક પાસાની તાદશ ઝાંખી કરાવતો એક પ્રસંગ જે સભાગ્યે . મહાદેવભાઈની ડાયરીમાં સચવાઈ રહ્યો છે તે એમણે જતો ન કર્યો હોત. વિલાયતથી પાછા આવ્યા પછી પોતેર રૂપિયાની શિક્ષકની નોકરી લેવા માટે ગાંધીજીએ અરજી કરેલી. પણ મુલાકાત સમયે પ્રત્યક્ષ પરિચયમાં એ શાળાના હેડમાસ્તરને ગાંધીજી સંતોષ નહેતા. આપી શક્યા! આ અરજી કરવાનું કારણ પોતામાં મહત્વાકાંક્ષાનો અભાવ હતું એમ ગાંધીજીએ સમજાવ્યું છે ! આવા પ્રસંગનું મૂલ્ય. સામાન્ય પ્રકારની આત્મકથામાં ન જેવું ગણાય. છતાં ગાંધીજીએ. એ પ્રસંગે પિતાની “આત્મકથા 'માં લીધો નથી. કારણ સ્પષ્ટ છે; આત્મકથાનો નાયક, ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી છે તે પ્રમાણે, સત્ય” છે, મોહનદાસ ગાંધી નહિ. એ પ્રસંગે “સત્યના પ્રયોગ જે ન લાગવાથી એને “આત્મકથામાં પડતો મૂકવામાં આવ્યો છે..
આ કારણે જ ગાંધીજીએ પોતાના આ જીવનવૃત્તાંતને સત્યના પ્રયોગો” એવું પ્રધાન શીર્ષક આપ્યું છે. “આત્મકથામાં નાયકનું સ્થાન ભોગવતા “સત્ય'નાં અહિંસા, બ્રહ્મચર્ય, સદાચાર, સ્વચ્છતા, નમ્રતા, સ્વાવલંબન, ન્યાયપરાયણતા, સેવા વગેરે અનેક રૂપ છે અને એ અનેક રૂપે સત્યને પિતાના જીવનમાં ઉતારવાને સભાન પ્રયત્ન ગાંધીજીએ કર્યા છે. ગાંધીજીના જીવનમાં અવી સતત અને અવિચલ સત્યનિષ્ઠા ન હોત તે આત્મકથાનું આજનું આકર્ષણ